સૂચનાનું પાલન કરવા અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
પ્રશ્ન 1:
"સૂચનાનું પાલન કરો" કાર્યક્ષમતાનો ઉપયોગ શું છે?
સમાધાન:
"સૂચનાનું પાલન કરો" એ એક પૂર્વ-લોગઈન કાર્યક્ષમતા છે, જે આવકવેરા પોર્ટલ પર, જારી કરાયેલી સૂચનાનો પ્રતિભાવ રજૂ કરવા માટે કરદાતાને આપવામાં આવે છે.
પ્રશ્ન 2:
શું આપણે આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને કોઈપણ સૂચનાનો પ્રતિભાવ રજૂ કરી શકીએ?
સમાધાન:
ના, આ કાર્યક્ષમતાનો ઉપયોગ ફક્ત નીચે જણાવેલ સૂચનાઓ માટે પ્રતિભાવ રજૂ કરવા માટે થઈ શકે છે:
- કોઈપણ ITBA સૂચના / દસ્તાવેજ જે જારી કરવામાં આવે છે જે કોઈપણ PAN/TAN સાથે લિંક થયેલ નથી
- કલમ 133(6) હેઠળ અધિકૃત વપરાશકર્તાઓ દ્વારા જવાબ આપવા માટે ITBAસૂચના આપે છે કે જેની માટે સૂચના જારી કરવામાં આવી હોય તે એકમના ઈ-ફાઈલિંગ એકાઉન્ટની જેમને એક્સેસ હોઈ શકતી નથી
પ્રશ્ન 3:
શું મારે સંપૂર્ણ DIN કે DIN ના અંતિમ કેટલાક અંકો દાખલ કરવા જોઈએ?
સમાધાન:
હા, કરદાતાએ સૂચના/પત્ર PDF માં જણાવ્યા મુજબ સંપૂર્ણ DIN દાખલ કરવાની જરૂર છે.
પ્રશ્ન 4:
માન્યતા માટે કયો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID દાખલ કરવા જોઈએ?
સમાધાન:
મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID સક્રિય સ્થિતિમાં હોવા જરૂરી છે કારણ કે માન્યતા માટે OTP બંને પર મોકલવામાં આવશે.
પ્રશ્ન 5:
શું હું આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને સૂચનાનો પ્રતિસાદ આપવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકું છું?
સમાધાન:
ના, તમે આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને સૂચનાનો પ્રતિસાદ આપવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકતા નથી.
પ્રશ્ન 6:
શું હું આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને સૂચનાનો પ્રતિસાદ આપવા માટે મુલતવી રાખવાની માંગ કરી શકું છું?
સમાધાન:
ના, તમે આ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને સૂચનાનો પ્રતિસાદ આપવા માટે મુલતવી રાખવાની માંગ કરી શકતા નથી.
પ્રશ્ન 7:
જોડાણનું ફોર્મેટ અને કદ શું હોવું જોઈએ?
સમાધાન:
દસ્તાવેજનું ફોર્મેટ PDF/XLS/XLSX/CSV હોવું જોઈએ અને દરેક જોડાણનું કદ 5 MB કરતાં વધુ હોવું જોઈએ નહીં. કરદાતા એક સમયે 10 જેટલી ફાઈલો એક સાથે જોડી શકે છે.
પ્રશ્ન 8:
શું પ્રતિભાવની ચકાસણી માટે આધારની વિગતો દાખલ કરવી ફરજિયાત છે?
સમાધાન:
હા, કરદાતાએ તે ક્ષમતા પસંદ કરવાની જરૂર છે જેમાં વ્યક્તિગત પ્રતિભાવ ફાઈલ કરી રહ્યો છે અને UIDAI મુજબ યોગ્ય આધાર વિગતો દાખલ કરવી જોઈએ.
પ્રશ્ન 9:
એકવાર મને જારી કરાવામા આવેલી સૂચનાનો મારો પ્રતિભાવ સબમિટ કર્યા પછી શું હું મારો પ્રતિભાવ જોઈ શકું છું?
સમાધાન:
હા, તમે "સબમિટ કરેલ પ્રતિભાવ જુઓ" પર ક્લિક કરીને તમારા દ્વારા સબમિટ કરેલ પ્રતિભાવ જોઈ શકો છો અને પછી તે જ મોબાઈલ નંબર અને મેઈલ ID સાથે DINને માન્ય કરી શકો છો જેનો ઉપયોગ કરદાતાએ પ્રતિભાવ સબમિટ કરવા માટે કર્યો હતો.
પ્રશ્ન 10:
શું હું સૂચનાનો પ્રતિભાવ આપ્યા પછી મારા પ્રતિભાવને સંપાદિત કરી શકું છું?
સમાધાન:
ના, એકવાર સબમિટ કર્યા પછી તમે તમારા પ્રતિભાવને સંપાદિત કરી શકતા નથી. જ્યાં સુધી આકારણી અધિકારી દ્વારા કાર્યવાહી અવરોધિત અથવા બંધ ન થાય ત્યાં સુધી તમે સૂચના માટે બીજો પ્રતિભાવ રજૂ કરી શકો છો.
અસ્વીકરણ: આ વારંવાર પૂછાતા પ્રશ્નો માત્ર માહિતીના હેતુ માટે છે. આ દસ્તાવેજમાં કંઈ પણ કાનૂની સલાહ આપવામાં આવી નથી.