આકારણી વર્ષ 2025-26 માટે વ્યક્તિઓના સંગઠન (AOP) / વ્યક્તિઓની સંસ્થા (BOI) / ટ્રસ્ટ / કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP) ને લાગુ પડતા રિટર્ન અને ફોર્મ
સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ / સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.
વ્યક્તિઓનું સંગઠન (AOP) અથવા વ્યક્તિઓની સંસ્થા (BOI), ભલે તે સમાવિષ્ટ હોય કે ન હોય, તેને આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 2(31) હેઠળ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. એ નોંધવું અગત્યનું છે કે AOP અથવા BOI એક વ્યક્તિ તરીકે ગણવામાં આવશે, પછી ભલે તે આવક, નફો અથવા લાભ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ અથવા સ્થાપિત કરવામાં આવી હોય અથવા તેમાં સમાવિષ્ટ હોય.
સંપૂર્ણપણે ધર્માદા અથવા ધાર્મિક હેતુઓ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટને આવકવેરા કાયદા હેઠળ કલમ 11 હેઠળ છૂટ સહિત વિવિધ લાભો આપવામાં આવે છે.
કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ - જો કોઈ કરદાતા વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ અન્ય કોઈપણ શ્રેણીમાં આવતો નથી, તો તેને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. આ સંસ્થાઓ પ્રાકૃતિક વ્યક્તિઓ નથી પરંતુ કાયદા મુજબ અલગ સંસ્થાઓ છે.
|
1. ITR-5 |
|
આ ફોર્મનો ઉપયોગ એ વ્યક્તિ દ્વારા કરી શકાય છેઃ
|
નોંધ: જો કે, જે વ્યક્તિએ કલમ 139 (4A) અથવા 139(4B) અથવા 139(4D) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવાનું હોય તેમણે આ ફોર્મનો ઉપયોગ કરવો નહીં.
|
2. ITR-7 |
||||
|
કલમ 139(4A) અથવા કલમ 139(4B) અથવા કલમ 139(4C) અથવા કલમ 139(4D) હેઠળ રિટર્ન રજૂ કરવાની જરૂર હોય તેવી કંપનીઓ સહિત વ્યક્તિઓ માટે લાગુ
|
નોંધ: વ્યક્તિઓની એવી શ્રેણી કે જેની આવકને વિવિધ અનુચ્છેદની કલમ 10 હેઠળ બિનશરતી છૂટ પ્રાપ્ત થયેલ છે, અને જેઓને કલમ 139ની જોગવાઈઓ હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવું જરૂરી નથી, તેઓ આ ફોર્મનો ઉપયોગ રિટર્ન ફાઈલ કરવા માટે કરી શકે છે (દાખલા તરીકે - સ્થાનિક સત્તામંડળ)
લાગુ ફોર્મ
|
1. |
||||
|
નોંધ:(અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194 IA,194 IB,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26AS માં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે AISમાં ઉપલબ્ધ થશે.
|
2. ફોર્મ 3CA-3CD |
||||
|
|
3. ફોર્મ 3CB -3CD |
||||
|
|
4. ફોર્મ 10B અને ફોર્મ 10 BB |
||||
|
|
5. ફોર્મ 10-IEA, ફોર્મ 10-IFA |
||||
|
|
6. ફોર્મ 10 |
||||
|
|
7. ફોર્મ 10A |
||||
|
|
8. ફોર્મ 10BD |
||||
|
|
9. ફોર્મ 9A |
||||
|
|
10. ફોર્મ 16A |
||||
|
આકારણી વર્ષ 2025-26 માટે કર સ્લેબ
AOP / BOI / AJPના કરવેરાના દર નીચે આપવામાં આવ્યા છે, જો કે તે પછીથી વર્ણવેલ વધુ શરતોને આધિન છે.
નોંધ: ટ્રસ્ટ કે જેને સંબંધિત જોગવાઈઓ અનુસાર કરવેરામાંથી છૂટ પ્રાપ્ત થયેલ નથી અને આવકવેરા કાયદા હેઠળ મંજૂરીઓ / નોંધણીની જરૂર છે, તેની આકારણી AOP તરીકે કરવામાં આવે છે.
નાણાકીય અધિનિયમ 2023 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી કરદાતા વ્યક્તિ, HUF, AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. તેમ છતાં, પાત્ર કરદાતાઓ પાસે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ હોય છે અને તેઓ જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનું પસંદ કરી શકે છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલીમાં, કરદાતાઓ પાસે વિવિધ કર કપાતો અને છૂટના દાવાઓ કરવાનો વિકલ્પ હોય છે.
"બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, પ્રણાલી પસંદ કરવાના વિકલ્પનો ઉપયોગ દર વર્ષે કલમ 139 (1) હેઠળ નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા માટેના ITRમાં સીધો ઉપયોગ કરી શકાય છે.
જો પાત્ર કરદાતાઓ વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા હોય અને નવી કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોય, તો કરદાતાએ આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરવું જરૂરી છે. ઉપરાંત, જૂની કર પ્રણાલી ના વિકલ્પમાંથી બહાર નીકળવાના હેતુ માટે એટલે કે જૂની કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પણ ફોર્મ નં. .10-IEA દ્વારા જ રજૂ કરવામાં આવશે.
ફોર્મ 10-IFA આકારણી વર્ષ 2024-25 થી નવી કર પ્રણાલી પસંદ કરવા માટે સહકારી મંડળી માટે લાગુ પડે છે. (29મી સપ્ટેમ્બર 2023ના રોજ અધિસૂચના ક્રમાંક 83/2023 દ્વારા સૂચિત).
નવી ઉત્પાદન સહકારી મંડળી માટે રાહત કર
કલમ 115BAE 01.04.2023 ના રોજ અથવા તે પછી નોંધાયેલ નવી ઉત્પાદન સહકારી મંડળીઓ માટે 15% ના દરે કરવેરાના રાહત દરનો વિકલ્પ પ્રદાન કરે છે, જે 31મી માર્ચ 2024 ના રોજ અથવા તે પહેલાં કોઈ ચીજવસ્તુ અથવા વસ્તુનું ઉત્પાદન અથવા પેદાશ શરૂ કરવાને આધિન છે. જો કે, વિકલ્પ એકવાર કોઈપણ પાછલા વર્ષ માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય, ત્યારબાદ તે જ અથવા અન્ય કોઈપણ ગત વર્ષ માટે પાછો લઈ શકાતો નથી.
AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે બે પ્રણાલી હેઠળ કરના દર નીચે દર્શવવામાં આવ્યા છેઃ
|
જૂની કર પ્રણાલી |
કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી |
||||
|
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
|
₹ 2,50,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
|
₹ 2,50,001 - ₹ 5,00,000** |
₹ 2,50,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
₹ 3,00,001 - ₹ 7,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
|
₹ 5,00,001 - ₹ 10,00,000 |
₹ 5,00,000થી વધુ માટે ₹ 12,500 + 20% |
કંઈપણ નહીં |
₹ 7,00,001 - ₹ 10,00,000 |
₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10% |
કંઈપણ નહીં |
|
₹ 10,00,001- ₹ 50,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
કંઈપણ નહીં |
₹ 10,00,001 - ₹ 12,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15% |
કંઈપણ નહીં |
|
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
10% |
₹ 12,00,001 - ₹ 15,00,000 |
₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20% |
કંઈપણ નહીં |
|
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
15% |
₹ 15,00,001- ₹ 50,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
કંઈપણ નહીં |
|
₹ 200,00,001- ₹ 500,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
25% |
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
10% |
|
₹ 500,00,000થી વધુ માટે |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30% |
37% |
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
15% |
|
|
|
|
₹ 200,00,001થી વધુ માટે |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
25% |
*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. આથી આવી આવક પર ચુકવવાપાત્ર કરવેરા પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.ફક્ત કંપનીના સભ્યો ધરાવતા વ્યક્તિના સંગઠનના કિસ્સામાં, આવકવેરાની રકમ પર અધિક કરનો દર મહત્તમ 15% રહેશે (આકારણી વર્ષ 2023-24 થી લાગુ થયેલ).
***નોંધ: આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે બંને પ્રણાલીમાં આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો)ની રકમ પર ચુકવવામાં આવશે.
AOP/BOI ની કર જવાબદારી AOP/BOI ના સભ્યોનો હિસ્સો માહિતગાર છે કે નહીં તેના પર નિર્ભર છે. તદનુસાર, વધુ લાગુ શરતો નીચે મુજબ છે:
|
નોંધ:AOP / BOI કે જેમની કુલ સમાયોજિત કુલ આવક રૂ. 20 લાખથી વધુ હોય તે કુલ સમાયોજિત આવકના 18.5% ના દરે (વત્તા અધિક કર અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર તરીકે લાગુ) વૈકલ્પિક ન્યૂનતમ કર (AMT) ચૂકવવા માટે જવાબદાર રહેશે, જ્યાં સામાન્ય કર જવાબદારી એ સમાયોજિત કુલ આવકના 18.5% કરતા ઓછી છે.
રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું
કલમ 115BAC હેઠળ અથવા કલમ 115BAE હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનાર કરદાતાને નીચેની કપાત ઉપલબ્ધ થશે:
-
- કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.
|
સંપત્તિનો પ્રકાર |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
|
ભાડે આપેલ |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય |
-
- આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80JJA |
|||
|
બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
||
જૂની કર પ્રણાલી હેઠળ કર કપાત
- કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:
|
સંપત્તિનો પ્રકાર |
જ્યારે લોન લેવામાં આવી હતી |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
|
પોતાની માલિકી |
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 2,00,000 |
|
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
|
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 30,000 |
|
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
|
|
ભાડે આપેલ |
કોઈપણ સમયે |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય |
આવક વેરા અધિનિયમના પ્રકરણ VI-A અંતર્ગત ઉલ્લેખિત કર કપાત.
|
કલમ 80G |
||||||||||||
|
ચોક્કસ ભંડોળ, ધર્માદા સંસ્થાઓ, વગેરે માટે કરવામાં આવેલા દાન માટે કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:
|
|
કલમ 80GGA |
|||||
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટેના અમુક દાનના સંદર્ભમાં કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:
નોંધ: આ કલમ હેઠળ ₹ 2000/- થી વધુના રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી નફો/ લાભની આવકનો સમાવેશ થતો હોય તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં. |
|
કલમ 80GGC |
|||
|
રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં ફાળો આપવામાં આવેલી રકમ કપાત તરીકે માન્ય છે (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80IA |
|
|||||
|
કોઈ પણ માળખાકીય સુવિધાના વિકાસ, જાળવણી અને સંચાલનમાં રોકાયેલ ઉપક્રમ (માત્ર ભારતીય કંપની), ઔદ્યોગિક ઉદ્યાનો (કોઈ પણ ઉપક્રમ), કોઈ પણ ઉર્જા ઉપક્રમ, વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટનું પુનઃનિર્માણ અથવા પુનરુત્થાન (ભારતીય કંપની) એ કપાતનો દાવો કરવાનો રહેશે. (અમુક શરતોને આધીન) |
|
|||||
|
કલમ 80IAB |
|
|||||
|
વિશિષ્ટ આર્થિક ક્ષેત્રના વિકાસમાં રોકાયેલા ઉપક્રમ અથવા ઉદ્યોગ દ્વારા નફા અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
|||||
|
કલમ 80IB |
||||
|
ઉલ્લેખિત વ્યાપારમાંથી નફો અને લાભ માટે કપાત. આ કલમ હેઠળ કપાત એવા કરદાતા માટે ઉપલબ્ધ છે કે જેમની એકંદર કુલ આવકમાં નીચે જણાવેલ વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થતો હોય:
વિવિધ પ્રકારના ઉપક્રમો માટે નિર્દિષ્ટ શરતો મુજબ 5 / 10 / 7 વર્ષ માટે 100% / 25% નફો |
|
કલમ 80IBA |
|||
|
મકાનના બાંધકામ અને વિકાસને સંબંધિત યોજનામાંથી મેળવેલ નફો અને લાભ |
|
||
|
કલમ 80IC |
|||
|
હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાંચલ અને ઉત્તર - પૂર્વી રાજ્યોમાં અમુક ઉપક્રમોના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80IE |
|||
|
ઉત્તર-પૂર્વી રાજ્યોમાં સ્થાપિત નિર્ધારિત ઉપક્રમો માટેની કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80JJA |
|||
|
બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80JJAA |
|||
|
નવા કામદારો / કર્મચારીઓના રોજગાર સંદર્ભે કપાત, એ કરદાતાને લાગુ પડે છે જેને કલમ 44AB લાગુ પડે છે (અમુક શરતોને આધીન) |
|
||
|
કલમ 80LA |
|||
|
ઓફશોર બેંકિંગ એકમો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોની આવક માટે કપાત (અમુક શરતોને આધીન) |
|
||