Do not have an account?
Already have an account?

આકારણી વર્ષ 2025-26 માટે બિન-નિવાસી વ્યક્તિ

 

આકારણી વર્ષ 2025-26 માટે પગારદાર વ્યક્તિઓ માટે લાગુ પડેલ રિટર્ન અને ફોર્મ

 

 

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.

 

બિન-નિવાસી વ્યક્તિ એ છે જે કરવેરા હેતુ માટે ભારતનો રહેવાસી નથી. કોઈપણ વ્યક્તિ બિન-નિવાસી છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે, તેના રહેણાંકની સ્થિતિ આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 6 હેઠળ નીચે જણાવ્યા મુજબ નક્કી કરવું જરૂરી છે.

 

કોઇ વ્યક્તિ નીચેની શરતો પૈકી કોઇ શરતને પૂરી કરતો હોય તો તેને /તેણીને કોઇપણ અગાઉ ના વર્ષમાં ભારતમાં નિવાસી તરીકે ગણવામાં આવશે:
1. જો તે/તેણી પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ, અથવા તેેેેથી વધુ સમયગાળા માટે ભારતમાં હોય અથવા
2. જો તે/તેણી પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અથવા તેેેેેથી વધુુ સમયગાળા માટે ભારતમાં હોય અને પાછલા વર્ષના તરત પહેેેેલાના 4 વર્ષ દરમિયાન 365 દિવસ અથવા તેેેેથી વધુ.

ઉપર જણાવ્યા મુજબની બંને શરતો સંતોષતી ન હોય તેવી વ્યક્તિને તે ગત વર્ષમાં બિન-નિવાસી તરીકે ગણવામાં આવશે.

જો કે, ભારતીય નાગરિક અને ભારતીય મૂળની વ્યક્તિ કે જે વર્ષ દરમિયાન ભારતની મુલાકાત લે છે, તેના સંબંધમાં ઉપરોક્ત (2)માં ઉલ્લેખ કર્યા મુજબના 60 દિવસના સમયગાળાના સ્થાને 182દિવસનો સમાવેશ કરવામાં આવશે એવા ભારતીય નાગરિકને પણ તેવી જ છૂટ આપવામાં આવે છે જેણે આગલા વર્ષે ક્રૂ સભ્ય તરીકે અથવા ભારતની બહાર રોજગારના હેતુ માટે ભારતને છોડી દીધું છે.

નાણાકીય અધિનિયમ, 2020 થી અમલી થયેલ આકારણી વર્ષ 2021-22 એ ઉપરોક્ત અપવાદમાં સુધારો કર્યો છે કે જો કોઈ ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળની વ્યક્તિ કે જેની એકંદર આવક, વિદેશી સ્રોત સિવાયની આવક, ગત વર્ષ દરમિયાન રૂ.15 લાખ કરતાં અધિક હોય, તો ઉપરોક્ત (2) માં ઉલ્લેખિત 60 દિવસની અવધિને 120 દિવસમાં બદલવામાં આવશે.

નાણાકીય અધિનિયમ, 2020 એ નવી કલમ 6 (1A) પણ રજૂ કરી છે જે આકારણી વર્ષ 2021-22 થી લાગુ પડેલ છે. તે જોગવાઇ કરે છે કે ભારતીય નાગરિકની કુલ આવક ₹15 લાખ થી વધુ(વિદેશી સ્રોતો સિવાયની) છે, જો તે/તેણી કોઇ દેશમાં વેરો ચૂકવવા માટે જવાબદાર નથી તો તેને ભારતમાં નિવાસી હોવાનું ગણવું જોઇશે.

 

1. ITR-2 - બિન-નિવાસી વ્યક્તિગત માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત (નિવાસી અથવા બિન-નિવાસી) અને હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.

વ્યાપાર અથવા વ્યવસાયના નફા અને લાભ સિવાય અન્ય કોઈપણ શીર્ષક હેઠળ આવક હોવી.

 

2. ITR-3 - બિન-નિવાસી વ્યક્તિગત માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત (નિવાસી અથવા બિન-નિવાસી) અને હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.

પગાર/પેન્શન, મકાન મિલકત, વ્યાપાર અથવા વ્યવસાયનો નફો અથવા લાભ, મૂડી લાભ અથવા અન્ય સ્રોતોમાંથી આવકના શીર્ષક હેઠળ આવક હોવી.

કે જે ITR-1, 2 અથવા 4 ફાઈલ કરવા માટે પાત્ર નથી

 

લાગુ ફોર્મ

 

1. ફોર્મ 12BB -કર કપાત માટે કર્મચારી દ્વારા કરવામાં આવેલા દાવાઓની વિગતો (કલમ 192 હેઠળ)

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી તેના નિયોક્તા(ઓ)ને

સ્ત્રોત પર કર કપાત (TDS) માટે કરની ગણતરી હેતુ HRA, LTC, ઉધાર લીધેલ મૂડી પર વ્યાજની કપાત, કર બચતના દાવાઓ/કપાતના પુરાવા અથવા વિગત

 

2. ફોર્મ 16 - પગાર પર સ્ત્રોત પર કર કપાતની વિગતો (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 203 હેઠળ પ્રમાણપત્ર)

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

ફોર્મમાં આપેલી વિગતો:

ચૂકવવાપાત્ર/રિફંડપાત્ર કરની ગણતરી કરવાના હેતુસર ચૂકવવામાં આવેલ પગાર, કપાત/છૂટ અને સ્ત્રોત પર કર કપાત

 

3. ફોર્મ 16A - આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળ પગાર સિવાયની આવક પર કર TDS માટેનું પ્રમાણપત્ર

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલા સ્ત્રોત પર કર કપાત (TDS) નું પ્રમાણપત્ર છે, જેમાં TDSની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરાયેલી TDSની ચુકવણીનો સમાવેશ થાય છે.

 

4.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)

 

5. ફોર્મ 10E - જ્યારે પગારની બાકી રકમ અથવા અગ્રિમ પગાર ચુકવવામાં આવે છે ત્યારે કલમ 89(1) હેઠળ રાહતનો દાવો કરવા માટે આવકની વિગતો રજૂ કરવા માટેનું ફોર્મ

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા દ્વારા આવકવેરા વિભાગને

  • બાકી રકમ / આગોતરો પગાર
  • નિવૃત્તી લાભ/ગ્રેચ્યુઈટી
  • સમાપ્તિ પર વળતર
  • પેન્શનનું રૂપાંતર

 

6. ફોર્મ 3CB -3CD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા જેમને કલમ 44AB હેઠળ હિસાબનીશ દ્વારા તેના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે.

કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

 

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

7. ફોર્મ 3CEB

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અથવા નિર્દિષ્ટ સ્થાનિક લેવડ-દેવડમાં પ્રવેશ કરવા માટે કલમ 92E હેઠળ હિસાબનીશ પાસેથી રિપોર્ટ મેળવવો જરૂરી છે.

કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય વ્યવહાર (ઓ) અને સ્પષ્ટ સ્થાનિક વ્યવહાર(ઓ),ને સંબંધિત એકાઉન્ટન્ટ દ્વારા મળેલ રિપોર્ટ

 

8. ફોર્મ 3CE

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે નિર્દિષ્ટ વ્યક્તિઓ પાસેથી નિર્દિષ્ટ આવકની પ્રાપ્તિ માટે કલમ 44DA હેઠળ હિસાબનીશ પાસેથી રિપોર્ટ મેળવવો જરૂરી છે

કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

સરકાર અથવા કોઈ ભારતીય કંપની પાસેથી, ટેકનિકલ સેવાઓ માટેની રોયલ્ટી અથવા ફીના રૂપમાં આવકની પ્રાપ્તિ સંબંધિત એકાઉન્ટન્ટનો અહેવાલ.

 

આકારણી વર્ષ 2025-26*** માટે કર સ્લેબ

  • નાણાકીય અધિનિયમ 2024 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી કરદાતા વ્યક્તિ, HUF, AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. જો કે, પાત્ર કરદાતાઓ પાસે ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવાનો અને જૂની કર પ્રણાલી હેઠળ કરવેરા ભરવાનું પસંદ કરવાનો વિકલ્પ છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલીમાં, કરદાતાઓ પાસે વિવિધ કર કપાતો અને છૂટના દાવાઓ કરવાનો વિકલ્પ હોય છે.

 

  • "બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, પ્રણાલી પસંદ કરવાના વિકલ્પનો ઉપયોગ દર વર્ષે કલમ 139(1) હેઠળ નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા માટેના ITRમાં સીધો ઉપયોગ કરી શકાય છે.

 

  • વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓના કિસ્સામાં, જો કરદાતા કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોય, તો તેઓએ આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરવું પડશે. ઉપરાંત, જૂની કર પ્રણાલી ના વિકલ્પમાંથી બહાર નીકળવાના હેતુ માટે એટલે કે જૂની કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પણ ફોર્મ નં. .10-IEA દ્વારા જ રજૂ કરવામાં આવશે. જો કે, જૂની કર પ્રણાલી પાછી લઈ લેવાનો અને ડિફોલ્ટ કર પ્રણાલીમાં ફરીથી દાખલ થવાનો વિકલ્પ ફક્ત અનુગામી આકારણી વર્ષમાં જ ઉપલબ્ધ છે અને વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે જીવનમાં ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે.

 

  1. બિન-નિવાસી વ્યક્તિ માટે કર દર નીચે મુજબ છે:

 

જૂની કર પ્રણાલી

કલમ 115BAC (1A) હેઠળ ડિફોલ્ટ કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 2,50,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 2,50,001 - ₹ 5,00,000

₹ 2,50,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000થી વધુ માટે ₹ 12,500 + 20%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

કંઈપણ નહીં

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

10%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

15%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

25%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

37%

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

 

 

 

 

 

 

 

 

*નોંધ: કલમ 111A, 112, 112A હેઠળ કરવેરા અને બિન-નિવાસીઓને લાગુ પડતી મર્યાદા સુધી ડિવિડન્ડ આવક સુધી, 25% અને 37% નો વધારાનો અધિક કર, જે પણ મામલો હોય, વસૂલવામાં આવતો નથી. તેથી, આવી આવક પર ચુકવવાપાત્ર કર પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.

**નોંધ: જૂની કર પ્રણાલી હેઠળ, બિન-નિવાસી વ્યક્તિ માટે કર દર કરદાતાની જન્મ તારીખને ધ્યાનમાં લીધા વિના ઉપરોક્ત સમાન હશે.

***નોંધ: આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે બંને પ્રણાલીમાં આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો)ની રકમ પર ચુકવવામાં આવશે.

જો જૂની કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ, ₹ 2 કરોડ અથવા ₹ 5 કરોડથી વધુની આવક હોય અને નવી કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ અને ₹ 2 કરોડથી વધુની આવક હોય તો અધિક કરમાંથી સીમાંત રાહતનો દાવો કરી શકાય છે:

 

ચોખ્ખી આવક શ્રેણી

સીમાંત રાહત

(રૂ.) થી વધુ

(રૂ.) થી વધુ નહીં

 

 

50 લાખ

1 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 50 લાખની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.50 લાખથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

1 કરોડ

2 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 1 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.1 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

2 કરોડ

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 2 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.2 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 5 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં જૂની કર પ્રણાલી હેઠળ રૂ.5 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

 

રોકાણ / ચુકવણી / આવક હું કોના થી કર લાભ મેળવી શકું?

 

કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનાર કરદાતાને નીચેની કપાત ઉપલબ્ધ થશે:

 

  1. કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.

સંપત્તિનો પ્રકાર

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

ITR (આવક વેરા રિટર્ન)માં ભરવા માટેની જરૂરી વિગતો

ભાડે આપેલ

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય (પરંતુ નુકસાન જો "મકાન મિલકતમાંથી આવક" ના શીર્ષક હેઠળ કોઈ હોય તો અનુસૂચિ CYLA માં અન્ય કોઈપણ શીર્ષક સામે સમાયોજિત કરી શકાતું નથી અને આગામી વર્ષોમાં આગળ લઈ જઈ શકાતું નથી)

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ

 

 

જૂની કર પ્રણાલી હેઠળ કર કપાત

  1. કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:

સંપત્તિનો પ્રકાર

જ્યારે લોન લેવામાં આવી હતી

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

જરૂરી વિગતો

પોતાની માલિકી

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 2,00,000

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

ભાડે આપેલ

કોઈપણ સમયે

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય

 

આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

કલમ 80C, 80CCC, 80CCD (1)

કરવામાં આવેલી ચુકવણીઓ પર કપાત

80C

  • જીવન વીમા પ્રીમિયમ
  • પ્રોવિડન્ટ ફંડ
  • ચોક્કસ ઇક્વિટી શેરોની સબ્સ્ક્રિપ્શન
  • ટ્યુશન ફી
  • રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર
  • હાઉસિંગ લોન મુદ્દલ
  • અન્ય વિવિધ આઈટમ

 

 

₹ 1,50,000ની સંયુક્ત કપાત મર્યાદા

દરેક પાત્ર ચુકવણી માટે ITR (આવક વેરા રિટર્ન) માં ભરવાની વિગતો.
• પોલિસી નંબર અથવા દસ્તાવેજ ઓળખ નંબર
• કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર રકમ

80CCC

પેન્શન યોજના તરફ LIC અથવા અન્ય વીમાદાતાની વાર્ષિકી યોજના

80CCD(1)

કેન્દ્રીય સરકારની પેન્શન યોજના

 

કૃપા કરીને નોંધ લો કે:

1. જો તમે કલમ 80 CCD (1),80 CCD (1B ) હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
• યોગદાનની રકમ
• કરદાતાનો PRAN.

કલમ 80CCD(1B)

80CCD (1) હેઠળ દાવો કરાયેલ કપાતને બાદ કરતાં, કેન્દ્રીય સરકારની પેન્શન યોજનામાં કરવામાં આવેલી ચુકવણીઓ માટે કપાત.

 

₹ 50,000ની કપાત મર્યાદા

 

 

 

કલમ 80D

આરોગ્ય વીમા પ્રીમિયમ અને નિવારક આરોગ્ય તપાસ માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે કપાત

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

 

₹ 25,000 (₹ 50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

માતાપિતા માટે

₹ 25,000 (₹50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

 

 

 

 

 

 

 

 

 

આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ચુકવેલ ન હોય તો, વરિષ્ઠ નાગરિક પર કરવામાં આવતા તબીબી ખર્ચ માટે કપાત

 

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

₹ 50,000ની કપાત મર્યાદા

માતાપિતા માટે

 

₹ 50,000ની કપાત મર્યાદા

નોંધ:

કલમ 80D હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
• વીમાકર્તાનું નામ (વીમા કંપની)
• પોલિસી નંબર
• આરોગ્ય વીમા રકમ

80E

પોતાના અથવા સંબંધીના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત

 

લીધેલી લોન પર વ્યાજ માટે ચુકવેલ કુલ રકમ

નોંધ:

કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
• બેંક/સંસ્થા પાસેથી લીધેલી લોન
• જે સંસ્થા/બેંક પાસેથી લોન લેવામાં આવી હોઈ તેનું નામ
• બેંક/સંસ્થાનો લોન ખાતા નંબર
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80E હેઠળ વ્યાજ


કૃપા કરીને નોંધ લો કે કલમ 80E હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ.

80EE

રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી માટે કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2016 થી 31મી માર્ચ 2017ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ છે.

 

લીધેલી લોન પર ચુકવેલ વ્યાજ પર ₹ 50,000 ની કપાત મર્યાદા

નોંધ:

કલમ 80EE હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
• બેંક/સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક/સંસ્થાનું નામ કે જેમાંથી લોન લેવામાં આવેલ છે
• બેંક/સંસ્થાનો લોન ખાતા નંબર
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખે બાકી લોન
• કલમ 80EE હેઠળ વ્યાજ

80EEA

રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે પહેલી વાર લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત, જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2022ની વચ્ચે મંજૂર કરવામાં આવે છે અને કપાતનો દાવો કલમ 80EE હેઠળ ન કરેલો હોવો જોઈએ.

 

લીધેલી લોન પર ચુકવેલ વ્યાજ પર ₹ 1,50,000 ની કપાત મર્યાદા

નોંધ:

કલમ 80EEA હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નિમ્નલિખિત વિગતો પ્રદાન કરવાની જરૂર છે:
• રહેણાંક મકાનની મિલકતનું સ્ટેમ્પ મૂલ્ય
• બેંક/સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક/સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક/સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EEA હેઠળ વ્યાજ


નોંધ લો કે કલમ 80EEA હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ મર્યાદા સમાપ્ત થઈ ગઈ હોય. ઉપરાંત, કરદાતા લોન મંજૂરીની તારીખ અને અન્ય યોગ્ય શરતોના આધારે 80EE અથવા 80EEA નો દાવો કરી શકે છે.

80EEB

ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ હોય.

 

લીધેલી લોન પર ચુકવેલ વ્યાજ પર ₹ 1,50,000 ની કપાત મર્યાદા

નોંધ:

કલમ 80EEB હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નિમ્નલિખિત વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
• બેંક/સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક/સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક/સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EEB હેઠળ વ્યાજ
• વાહન નોંધણી નંબર.

80G

ચોક્કસ ભંડોળ, ધર્માદા સંસ્થાઓ, વગેરે માટે કરવામાં આવેલા દાન માટે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

કોઈપણ મર્યાદા વિના

 

100% કપાત

50% કપાત

પાત્રતાની મર્યાદાને આધિન

 

100% કપાત

50% કપાત

 

 

 

 

 

 

 

 

નોંધ: ₹ 2,000/- થી વધુની રોકડ રકમમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

80GG

ઘર માટે ચૂકવેલ ભાડા તરફ કપાત અને લાગુ ફક્ત તેના માટે જેમના HRA પગારનો ભાગ નથી.

નિમ્નલિખિત ઓછામાં ઓછા કપાત તરીકે માન્ય રહેશે:

આ કપાત પહેલાં ચુકવેલ ભાડુમાં કુલ આવકના 10% જેટલો ઘટાડો થયો છે

દર મહિને ₹ 5,000

આ કપાત પહેલાં કુલ આવકના 25%


નોંધ: કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરવા માટે, ફરજિયાત ફોર્મ 10BA ફાઈલ કરવું અને આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે અનુસૂચિ 80 GG માં ફોર્મ 10 BA નો (સ્વીકૃતિ નંબર) દાખલ કરવો ફરજિયાત છે.

 

 

80GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે કરાયેલ દાન પ્રત્યે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્રીય સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે:

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્ર સરકારે સ્થાપેલું અને જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ફંડ

નોંધ: ₹ 2,000 થી વધુ રોકડમાં આપેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી થતો નફો/ લાભમાંથી થતી આવકનો સમાવેશ થાય છે, તો આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

80GGC

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં કરવામાં આવેલા યોગદાન માટે કપાત

 

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં આપેલા યોગદાન માટે કપાત.

જો કોઈ યોગદાન રોકડમાં આપવામાં આવે છે તો કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

80IA

 

 

કલમ 80-IA(4)(iv) [પાવર] માં ઉલ્લેખિત ઉપક્રમના નફાના સંદર્ભમાં કપાત

 

અનુક્રમિક 10 આકારણી વર્ષ માટે 100% નફો જે 15 / 20 આકારણી વર્ષના સમયગાળાની અંદર આવે છે, જેની શરૂઆત એ આકારણી વર્ષથી થાય છે, જેમાં કરદાતા માળખકીય સુવિધા વિકસાવે છે/તેનું સંચાલન અને જાળવણી શરૂ કરે છે

1લી એપ્રિલ 2017 ના રોજ અથવા તે પછી માળખાકીય સુવિધાના વિકાસ અથવા સંચાલન અને જાળવણીની શરૂઆત કરનાર કોઈપણ ઉદ્યોગ-સાહસને કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

( કોઈ ચોક્કસ વ્યાપાર માટે નિર્ધારિત તારીખો પછી વિકાસ, કામગીરી, વગેરે. શરૂ કરવામાં આવે તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં )

 
 

 

80IB

માળખાગત વિકાસ ઉપક્રમો સિવાયના ઉલ્લેખિત ઔદ્યોગિક ઉપક્રમો દ્વારા નફા અને લાભ માટે કપાત - આકારણી વર્ષ 10 માટે 100% નફો, જેમાં નિર્ધારિત સત્તાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોઈતો (જો 31 માર્ચ 2000 પછી પરંતુ 1 એપ્રિલ 2007 પહેલાં મંજૂર કરવામાં આવેલ હોય તો).


આ કલમ હેઠળ કપાત એવા કરદાતા માટે ઉપલબ્ધ છે કે જેમની એકંદર કુલ આવકમાં નીચે જણાવેલ વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થતો હોય:

ખનિજ તેલનું વ્યાપારી ઉત્પાદન અથવા શુદ્ધિકરણ [કલમ 80-IB(9)]

હાઉસિંગ પ્રોજેક્ટનો વિકાસ અને નિર્માણ [કલમ 80-IB(10)]

ફળો, શાકભાજી, માંસ, માંસ ઉત્પાદન, મરઘાં, દરિયાઈ અથવા ડેરી ઉત્પાદ [કલમ 80-IB(11A)]ની પ્રક્રિયા, જાળવણી અને પેકેજિંગમાં રોકાયેલા ઉપક્રમના કિસ્સામાં કપાત.

અનાજના સંચાલન, સંગ્રહ અને પરિવહનના સંકલિત વ્યવસાયમાં રોકાયેલા ઉપક્રમના કિસ્સામાં કપાત [કલમ 80-IB(11A)]
(અમુક શરતોને આધીન)

ભારતીય કંપની જેનો મુખ્ય ઉદેશ્ય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન અને વિકાસ છે અને જે નિયત સત્તા દ્વારા માન્ય છે તે કપાતનો દાવો કરવા માટે હકદાર રહેશે

વિવિધ પ્રકારના ઉપક્રમો માટે ઉલ્લેખિત શરતો મુજબ 5 / 10/7 વર્ષ માટે થતા નફાના 100% / 25% એ આકારણી વર્ષ માટે જેમાં નિર્ધારિત સત્તાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે (જો 1 એપ્રિલ 1999 પહેલાં મંજૂર કરવામાં આવેલ હોય તો)

 

80IE

ઉત્તર-પૂર્વ રાજ્યોમાં સ્થાપિત અમુક ઉપક્રમોમાં કપાત

(અમુક શરતોને આધીન)

 

નિર્દિષ્ટ વિવિધ શરતોને આધિન 10 આકારણી વર્ષ માટે નફાના 100%

 

80JJA

બાયોડિગ્રેડેબલ કચરાનુ એકત્રિકરણ અને પ્રક્રિયાના વ્યવસાયમાંથી નફા અને લાભના સંદર્ભમાં કપાત

(અમુક શરતોને આધીન)

5 આકારણી વર્ષ માટેના નફાના 100% , જ્યાં કરદાતાની કુલ આવકમાં બાયોડિગ્રેડેબલ કચરાના સંગ્રહ અને પ્રક્રિયા અથવા શુદ્ધિકરણના વ્યાપારમાંથી મેળવેલા કોઈ પણ નફા અને લાભનો સમાવેશ થાય છે.

 

 

80JJAA

નવા કામદારો/કર્મચારીઓની રોજગારીના સંદર્ભમાં કપાત, જે કલમ 44AB લાગુ પડે છે તે કરદાતાને લાગુ પડે છે (અમુક શરતોને આધિન)

 

3 આકારણી વર્ષ માટે અતિરિક્ત કર્મચારી ખર્ચના 30%, કેટલીક શરતોને આધિન.

 

80TTA

બચત બેંક ખાતા પર વ્યક્તિગત (વરિષ્ઠ નાગરિક સિવાય) / HUF દ્વારા મળતા વ્યાજ પર કપાત.

₹ 10,000/-સુધીની કપાત મર્યાદા

 

 

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: