1. મારે સ્વયંને માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કેમ નોંધણી કરાવવી જોઈએ?
નોંધણી કાર્યક્ષમતા સક્રિય અને માન્ય PAN ધરાવતા તમામ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવવાથી તમે વિવિધ કાર્યક્ષમતાઓ અને કર સંબંધિત સેવાઓ કે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પ્રદાન કરે છે તેને એક્સેસ કરવા અને ઉપયોગ કરવા માટે સક્ષમ બનો છો.
2. નોંધણી માટે જરૂરી દસ્તાવેજો ક્યા છે?
કરદાતા તરીકે નોંધણી કરવા માટે કોઈ દસ્તાવેજો જરૂરી નથી [સિવાય કે કંપની માટે). માન્ય મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી અને માન્ય અને સક્રિય પાન,જ એક માત્ર પૂર્વ-આવશ્યકતાઓ છે.
3. શું હું મારા પરિવારના સભ્ય વતી નોંધણી કરાવી શકું ?
નોંધણી પાન અને પ્રદાન કરવામાં આવતી પ્રાથમિક સંપર્કો ની વિગતોને આધારે કરવામાં આવે છે. દરેક પાનની વ્યક્તિગત રીતે નોંધણી કરાવવી જોઈએ.
4. હું ભારતમાં મોબાઈલ નંબર વિનાનો બિન-નિવાસી વપરાશકર્તા છું. હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરી શકું?
હા, નોંધણી કરાવતી વખતે તમે તમારો વિદેશી મોબાઈલ નંબર આપી શકો છો. બધી વિગતો તમને તમારા દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઈ-મેઈલ આઈ.ડી પર જણાવવામાં આવશે પરંતુ તમારા વિદેશી મોબાઈલ નંબર પર નહીં. બધા OTP ફક્ત ઈ-મેઈલ ID પર જ મોકલવામાં આવશે.
5. આ સેવાનો ઉપયોગ કરવા કોણ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે?
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય અને સક્રિય પાન ધરાવતા તમામ કરદાતાઓ નોંધણી કરાવી શકે છે.
ઈ-ફાઈલિંગ અને કેન્દ્રીકૃત પ્રક્રિયા કેન્દ્ર
આવકવેરા રિટર્ન અથવા ફોર્મનું ઈ-ફાઈલિંગ અને અન્ય મૂલ્ય વર્ધિત સેવા અને સૂચના, સુધારણા, રિફંડ અને અન્ય આવકવેરા પ્રક્રિયા સંબંધિત પ્રશ્ન
1800 103 0025 (અથવા)
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700
08:00 AM - 20:00 PM
(સોમવાર થી શુક્રવાર)
કર માહિતી નેટવર્ક - NSDL
NSDL દ્વારા જારી/અપડેટ માટે PAN અને TAN અરજી સંબંધિત પ્રશ્નો
+91-20-27218080
07:00 વાગ્યાથી - 23:00 વાગ્યા સુધી
( તમામ દિવસો )
AIS અને રિપોર્ટિંગ પોર્ટલ
AIS, TIS, SFT પ્રારંભિક પ્રતિભાવ, ઈ-અભિયાન અથવા ઈ-ચકાસણી પર પ્રતિભાવ સંબંધિત પ્રશ્નો
1800 103 4215
09:30 hrs - 18:00 hrs
(સોમવાર થી શુક્રવાર)