Do not have an account?
Already have an account?
નવીનતમ સમાચાર
25-મે-2021

આવકવેરા વિભાગ 7મી જૂન, 2021 ના રોજ પોતાનું નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ www.incometax.gov.in લોન્ચ કરવા જઈ રહ્યું છે. www.incometaxindiaefiling.gov.in પરનું વિભાગનું હાલનું પોર્ટલ કરદાતાઓ તેમજ અન્ય બાહ્ય હિતધારકો માટે 6 દિવસના ટૂંકા ગાળા એટલે કે 1લી જૂન, 2021 થી 6થી જૂન, 2021 સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

25-મે-2021

કરદાતાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલના સુધારણાના વચગાળાના સમયગાળા દરમિયાન ફોર્મ -15CA અને 15CB સબમિટ કરી શકશે નહીં, એટલે કે 31મી મેની મધ્યરાત્રિથી 6થી જૂન, 2021 ની મધ્યરાત્રિ સુધી. જેઓ 1લી થી 6થી જૂન 2021 સુધીના બ્લેકઆઉટ સમયગાળા દરમિયાન કોઈપણ રકમ ભરપાઈ કરવાનો ઈરાદો રાખે છે તેઓ કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા માટે કૃપા કરીને 31મી મે, 2021 ની મધ્યરાત્રિ સુધી તેમના ફોર્મ સબમિટ અને ડાઉનલોડ કરી શકે છે.

24-મે-2021

કલમ 245M(1) હેઠળ વિકલ્પનો અમલ કરવા અને નિયમ 44DA(1) અંતર્ગત ફોર્મ નંબર 34BB રજૂ કરવા અને અપલોડ કરવાની કાર્યવાહી.

21-મે-2021

ગંભીર કોવિડ -19 રોગચાળાને કારણે વિવિધ હિતધારકો દ્વારા આવી રહેલ મુશ્કેલીઓનો સામનો કરવાની તેઓની પ્રતિબદ્ધતાને ચાલુ રાખવા માટે CBDT એ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ અનુપાલન માટે અમુક સમયમર્યાદા લંબાવી દીધી છે.

20-મે-2021

પ્રિય કરદાતાઓ, કોવિડ -19 પરિસ્થિતિ અને દેશના વિવિધ ભાગોમાં લાદવામાં આવેલ લોકડાઉનને ધ્યાનમાં રાખીને, કરદાતાઓ 31.05.2021 સુધી CPC દ્વારા જારી કરાયેલ ખામીયુક્ત નોટિસ પર પ્રતિભાવ ફાઈલ કરી શકે છે. કરદાતાઓ આકારણી વર્ષ 2020-21 માટે 31.05.2021 સુધી વિલંબિત અને સુધારેલ રિટર્ન પણ ફાઈલ કરી શકે છે.

20-મે-2021

અપગ્રેડ કરવાને કારણે આકારણી વર્ષ '2021- 22 માટે 'પૂર્વ ભરેલ JSON ડાઉનલોડ કરવા માટે' ઉપલબ્ધ રહેશે નહીં.

20-મે-2021

નવી સિસ્ટમની પરિવર્તનની તૈયારીમાં, હાલનું ઈ-ફાઈલિંગ પોર્ટલ 1લી જૂનથી 6થી જૂન 2021 સુધીના 6 દિવસના સમયગાળા માટે કરદાતાઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

03-મે-2021

CBDT એ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ડિપોઝિટરી લેવડ-દેવડ માટે નાણાકીય લેવડ-દેવડના નિવેદન (SFT) સબમિટ કરવા માટેની ફોર્મેટ, કાર્યવાહી અને માર્ગદર્શિકા સૂચિત કરતી સૂચના જારી કરી છે.

03-મે-2021

CBDT એ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ લેવડ-દેવડ માટે નાણાકીય લેવડ-દેવડના નિવેદન (SFT) સબમિટ કરવા માટેની ફોર્મેટ, કાર્યવાહી અને માર્ગદર્શિકા સૂચિત કરતી સૂચના જારી કરી છે.

03-મે-2021

CBDT એ 31મી માર્ચ 2021 થી 31મી મે 2021 સુધી આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટેની નિયત તારીખ વધારવાની પ્રેસ રિલીઝ જારી કરી છે.