Do not have an account?
Already have an account?

 

આકારણી વર્ષ 2025-26 માટે પગારદાર વ્યક્તિઓ માટે લાગુ પડેલ રિટર્ન અને ફોર્મ

 

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.

 

 

 

1. ITR-1 (સહજ) - કોઈપણ વ્યક્તિગત માટે લાગુ

આ રિટર્ન નિવાસી (સામાન્ય નિવાસી સિવાય અન્ય) નીચેનામાંથી કોઈ પણ એક સ્ત્રોતમાંથી ₹ 50 લાખ સુધીની કુલ આવક ધરાવતી વ્યક્તિ માટે લાગુ પડે છે

પગાર / પેન્શન

એક ગૃહ મિલકત

અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.)

₹ 5,000 સુધીની કૃષિ આવક

કલમ 112 A હેઠળ મૂડી લાભની આવક રૂ. 125000 સુધી

 

નોંધ: ITR-1 નો ઉપયોગ એવી વ્યક્તિ ન કરી શકે કે જે:

(a) કોઈ કંપનીમાં નિર્દેશક હોય
(b) ટૂંકા ગાળાના મૂડી લાભ ધરાવે છે
(c) કલમ 112A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ રૂ..1.25 લાખથી વધુ છે
(d) પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવે છે
(e) જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ સંસ્થામાં નાણાકીય હિત સહિત) છે
(f) ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાની સત્તા ધરાવે છે,
(g) ભારતની બહારના કોઈપણ સ્રોતમાંથી આવક ધરાવે છે
(h) તે એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં કલમ 194N હેઠળ કર કપાત કરવામાં આવ્યો હોય
(e) એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં ESOP પર કરની ચુકવણી અથવા કપાત મુલતવી રાખવામાં આવી હોય.
(i) આવકના કોઈપણ શીર્ષક હેઠળ આગળ લાવેલ અથવા આગળ મોકલેલ નુકસાન

(i) જેની કુલ આવક રૂ. 50 લાખથી વધુ છે.

     

2. ITR-2 - વ્યક્તિગત (ITR 1 માટે પાત્ર નથી ) અને HUF માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ(HUF) માટે લાગુ પડે છે

વ્યાપાર અથવા વ્યવસાયના નફા અને લાભ સિવાયના કોઈપણ શીર્ષક હેઠળ આવક હોવી.

કે જે ITR-1 ફાઈલ કરવા માટે પાત્ર નથી

 

3. ITR-3- વ્યક્તિગત અને HUF માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ(HUF) માટે લાગુ પડે છે

પગાર/પેન્શન, મકાન મિલકત, વ્યાપાર અથવા વ્યવસાયનો નફો અથવા લાભ, મૂડી લાભ અથવા અન્ય સ્રોતોમાંથી આવકના શીર્ષક હેઠળ આવક હોવી.

જે ITR-1, ITR-2 અથવા ITR-4 ફાઈલ કરવા માટે પાત્ર નથી

 

4. ITR-4 (સુગમ) - વ્યક્તિગત, HUF અને પેઢી (LLP સિવાય) માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જે સામાન્ય નિવાસી ન હોય તે અથવા પેઢી (LLP સિવાય) સિવાય અન્ય નિવાસી હોય, કે જે વ્યાપાર અથવા વ્યવસાયમાંથી કુલ આવક ધરાવતો નિવાસી છે જેની ગણતરી (કલમ 44AD / 44ADA / 44AE હેઠળ) સંભવિત ધોરણે કરવામાં આવે છે અને નીચેના કોઈપણ સ્રોતોમાંથી આવક ધરાવે છે:

પગાર / પેન્શન

એક ગૃહ મિલકત

અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.)

₹ 5,000 સુધીની કૃષિ આવક

 

 

નોંધ 1:

IT-4 નો તે વ્યક્તિ દ્વારા ઉપયોગ કરી શકાતો નથી કે જે:

(a) કોઈ કંપનીમાં નિર્દેશક હોય

(b) ટૂંકા ગાળાના મૂડી લાભ ધરાવે છે

(c) કલમ 112A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ રૂ..1.25 લાખથી વધુ છે

(d) પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવે છે

(e) જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ સંસ્થામાં નાણાકીય હિત સહિત) છે

(f) ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાની સત્તા ધરાવે છે,

(g) ભારતની બહારના કોઈપણ સ્રોતમાંથી આવક ધરાવે છે

(h) એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં ESOP પર કરની ચુકવણી અથવા કપાત મુલતવી રાખવામાં આવી હોય.

(i) જે આવકના કોઈપણ શીર્ષક હેઠળ આગળ મોકલેલ અથવા આગળ લાવેલ નુકસાન ધરાવે છે

(j) જેની કુલ આવક ₹ 50 લાખથી વધુ છે

 

નોંધ:2 ITR-4 (Sugam) ફરજિયાત નથી. આ એક સરળ રિટર્ન ફોર્મ છે જેનો ઉપયોગ કરદાતા દ્વારા તેની ઈચ્છા મુજબ કરી શકાય છે, જો તે કલમ 44AD, 44ADA અથવા 44AE હેઠળ અનુમાનિત ધોરણે વ્યાપાર અથવા વ્યવસાયમાંથી નફો અને લાભને જાહેર કરવા પાત્ર હોય.

લાગુ પડતા ફોર્મ

1. ફોર્મ 12BB - (કલમ 192 હેઠળ) કર કપાત માટે કર્મચારી દ્વારા દાવાની વિગતો

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી તેના નિયોક્તા(ઓ)ને

HRAના પુરાવા અથવા વિગત, LTC, આવાસ લોન પરના વ્યાજની કપાત, કર બચત દાવા/ સ્ત્રોત પર કપાતનો કર (TDS) ની ગણતરીના હેતુસર પાત્ર ચુકવણીઓ અથવા રોકાણો પરની કપાત

 

2. ફોર્મ 16 - પગાર પર સ્રોત પર કર કપાતનું પ્રમાણપત્ર (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 203 હેઠળ)

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

નોકરીદાતા તેના કર્મચારીને નાણાકીય વર્ષના અંતે

ચૂકવવાપાત્ર/રિફંડપાત્ર કરની ગણતરી કરવાના હેતુસર, કર્મચારીની આવક, કપાત/છૂટ અને સ્રોત પર કપાત કર

 

3. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.

 

4. ફોર્મ 67- ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતાએ, કલમ 139(1) હેઠળ ITR રજૂ કરવા માટે નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં

ભારતની બહારના કોઈ દેશ અથવા ઉલ્લેખિત પ્રદેશમાંથી થતી આવક અને દાવો કરવામાં આવેલ વિદેશી કર ક્રેડિટ.

 

5.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)

 

6. ફોર્મ 15G - નિવાસી કરદાતા (કંપની કે પેઢી ન હોય) દ્વારા કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી ઘોષણા

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

60 વર્ષથી ઓછી વયની નિવાસી વ્યક્તિ અથવા HUF અથવા અન્ય વ્યક્તિ (કંપની/પેઢી સિવાયની), જો આવક મૂળભૂત છૂટ મર્યાદાથી ઓછી હોય તો વ્યાજની આવક પર TDS કપાત ન થાય તે માટે બેંકને જાણ કરવાની રહેશે.

નાણાકીય વર્ષ માટે અંદાજિત આવક

 

7. ફોર્મ 15H - કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી નિવાસી વ્યક્તિ (જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે) દ્વારા ઘોષણા કરવાની રહેશે.

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

60 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિવાસી વ્યક્તિ જેણે વ્યાજની આવક પર TDS કપાત ન કરવા માટે બેંકને જાણ કરવાની રહેશે

નાણાકીય વર્ષ માટે અંદાજિત આવક

 

8. ફોર્મ 10E - જ્યારે પગારની બાકી રકમ અથવા અગ્રિમ પગાર ચુકવવામાં આવે છે ત્યારે કલમ 89(1) હેઠળ રાહતનો દાવો કરવા માટે આવકની વિગતો રજૂ કરવા માટેનું ફોર્મ

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી આવકવેરા વિભાગને

  • બાકી રકમ / આગોતરો પગાર
  • નિવૃત્તી લાભ/ગ્રેચ્યુઈટી
  • સમાપ્તિ પર વળતર
  • પેન્શનનું રૂપાંતર

 

આકારણી વર્ષ 2025-26*** માટે કર સ્લેબ

  • નાણા અધિનિયમ 2024 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી નવી કર પ્રણાલીને વ્યક્તિગત, HUF, AOP (સહકારી મંડળીઓ ન હોય), BOI અને અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ હોવાના કરદાતા માટે ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. જો કે, પાત્ર કરદાતાઓ પાસે ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ છે અને જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનો વિકલ્પ છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલીમાં, કરદાતાઓ પાસે વિવિધ કર કપાતો અને છૂટના દાવાઓ કરવાનો વિકલ્પ હોય છે. જો કે, ડિફોલ્ટ કર પ્રણાલીમાં, જૂની કર પ્રણાલીની તુલનામાં કર દર ઓછો હોય છે.
  • "બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, ડિફોલ્ટ કર પ્રણાલી બદલવાનો વિકલ્પ દર વર્ષે સીધા ITRમાં વાપરી શકાય છે અને આવા ITR કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા જરૂરી છે.
  • વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓના કિસ્સામાં, જો કરદાતા ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોય, તો તેમણે આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરવું પડશે. ઉપરાંત, આવા વિકલ્પને પાછો લઈ લેવા માટે એટલે કે નવી કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવા માટે પણ, આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(4) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ નં.10-IEA રજૂ કરવું પડશે. જો કે, જૂની કર પ્રણાલી પાછી લઈ લેવાનો અને ડિફોલ્ટ કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવાનો વિકલ્પ ફક્ત અનુગામી આકારણી વર્ષમાં જ ઉપલબ્ધ છે અને વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે જીવનમાં ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે.
  1. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિગત (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:

 

જૂની કર પ્રણાલી

કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 2,50,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 2,50,001 - ₹ 5,00,000**

₹ 2,50,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000થી વધુ માટે ₹ 12,500 + 20%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

કંઈપણ નહીં

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

10%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

15%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

25%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,12,500 + 30%

37%

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

 

  1. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષ કે તેથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:

 

જૂની કર પ્રણાલી

કલમ 115BAC (1A) હેઠળ ડિફોલ્ટ કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 5,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000થી વધુ માટે ₹ 10,000 + 20%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

કંઈપણ નહીં

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

10%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

15%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

25%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

37%

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

  1. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ તેથી વધુ ઉંમરના વ્યક્તિગત (નિવાસી કે બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:

જૂની કર પ્રણાલી

કલમ 115BAC(1A) હેઠળ નવી કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 5,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000 થી વધુ માટે 20%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

10%

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

15%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

25%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

37%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

 

 

 

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. તેથી, આવી આવક પર ચુકવવાપાત્ર કર પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.


**કલમ 87A હેઠળ છૂટ: નિવાસી વ્યક્તિઓ પણ આવકવેરાના 100% સુધીની છૂટ માટે પાત્ર છે, જે નીચે મુજબની કર પ્રણાલીના આધારે મહત્તમ મર્યાદાને આધિન છે:

 

કુલ આવક

જૂની કર પ્રણાલી

નવી કર પ્રણાલી

કલમ 87A હેઠળ લાગુ છૂટ

રૂ. 5 લાખ સુધી

જો કુલ આવક રૂ. 5,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..12,500 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી)

જો કુલ આવક રૂ. 7,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..20,000 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી)

5 લાખથી 7 લાખ સુધી

કંઈપણ નહીં

***નોંધ :આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો) ની રકમ પર 4% ના દરે આરોગ્ય અને શિક્ષણ ઉપકર પણ ચુકવવામાં આવશે.

જો જૂની કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ, ₹ 2 કરોડ અથવા ₹ 5 કરોડથી વધુની આવક હોય અને નવી કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ અને ₹ 2 કરોડથી વધુની આવક હોય તો અધિક કરમાંથી સીમાંત રાહતનો દાવો કરી શકાય છે:

ચોખ્ખી આવક શ્રેણી

સીમાંત રાહત

(રૂ.) થી વધુ

(રૂ.) થી વધુ નહીં

 

 

50 લાખ

1 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 50 લાખની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 50 લાખથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

1 કરોડ

2 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 1 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 1 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

2 કરોડ

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 2 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 2 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ કુલ રૂ. 5 કરોડની આવક પર આવકવેરાના રૂપમાં ચુકવવાપાત્ર રકમ કરતાં રૂ. 5 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

 

રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું

કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનાર કરદાતાને નીચેની કપાત ઉપલબ્ધ થશે:
    1. કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.

સંપત્તિનો પ્રકાર

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

ITR ભરવા માટેની જરૂરી વિગતો

ભાડે આપેલ

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય (પરંતુ નુકસાન જો "મકાન મિલકતમાંથી આવક" ના શીર્ષક હેઠળ કોઈ હોય તો અનુસૂચિ CYLA માં અન્ય કોઈપણ શીર્ષક સામે સમાયોજિત કરી શકાતું નથી અને આગામી વર્ષોમાં આગળ લઈ જઈ શકાતું નથી)

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવે છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ
    1. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

કલમ 80CCD(2)

કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત

નિયોક્તાની તમામ શ્રેણીઓ માટે

પગારના 14% કપાત મર્યાદા

 

કલમ 80CCH

અગ્નિપથ યોજનામાં યોગદાનના સંદર્ભમાં કપાત

જ્યાં કરદાતા, અગ્નિપથ યોજનામાં નોંધાયેલ વ્યક્તિ હોવાને કારણે અને 1લી નવેમ્બર, 2022 ના રોજ અથવા તે પછી અગ્નિવીર કોર્પસ ફંડમાં સબ્સ્ક્રાઈબ કરે છે, તેણે ગત વર્ષમાં તેના ખાતામાં કોઈપણ રકમ ઉક્ત ફંડમાં ચૂકવી છે અથવા જમા કરી છે.

 

આ રીતે ચૂકવેલ અથવા જમા કરાવેલ સંપૂર્ણ રકમની, કુલ આવકની ગણતરી હેઠળ કપાતની મંજૂરી આપવામાં આવેલ છે.

જ્યાં અગ્નિવીર કોર્પસ ફંડમાં કરદાતાના ખાતામાં કેન્દ્ર સરકાર કોઈ યોગદાન આપે છે

 

આ રીતે યોગદાન આપેલ સંપૂર્ણ રકમની કુલ આવકની ગણતરી હેઠળ કપાતની મંજૂરી આપવામાં આવી છે

જૂની કર પ્રણાલી હેઠળ કર કપાત

  1. કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:

સંપત્તિનો પ્રકાર

જ્યારે લોન લેવામાં આવી હતી

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

જરૂરી વિગતો

પોતાની માલિકી

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 2,00,000

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવે છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

ભાડે આપેલ

કોઈપણ સમયે

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય.

આકારણી વર્ષ દરમિયાન આવકના અન્ય શીર્ષક સામે સમાયોજિત કરવા માટેનું માન્ય મહત્તમ નુકસાન રૂ.2,00,000 છે અને બાકીની રકમ ભવિષ્યના વર્ષોમાં 8 આકારણી વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય છે.

આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

કલમ 80C, 80CCC, 80CCD (1)

કરવામાં આવેલી ચુકવણીઓ પર કપાત

80C

  • જીવન વીમા પ્રીમિયમ
  • પ્રોવિડન્ટ ફંડ
  • ચોક્કસ ઇક્વિટી શેરોની સબ્સ્ક્રિપ્શન
  • ટ્યુશન ફી
  • રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર
  • હાઉસિંગ લોન મુદ્દલ
  • અન્ય વિવિધ આઈટમ

 

₹ 1,50,000ની સંયુક્ત કપાત મર્યાદા

દરેક પાત્ર ચુકવણી માટે ITR માં ભરવાની વિગતો:

  • પોલિસી નંબર અથવા દસ્તાવેજનો ઓળખ નંબર
  • કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર રકમ

80CCC

પેન્શન યોજના તરફ LIC અથવા અન્ય વીમાદાતાની વાર્ષિકી યોજના

80CCD(1)

કેન્દ્રીય સરકારની પેન્શન યોજના

 

 

કલમ 80CCD(1B)

 

80CCD (1) હેઠળ દાવો કરાયેલ કપાતને બાદ કરતાં, કેન્દ્રીય સરકારની પેન્શન યોજનામાં કરવામાં આવેલી ચુકવણીઓ માટે કપાત.

₹ 50,000ની કપાત મર્યાદા

 
 

કૃપા કરીને નોંધ લો કે:


1. કલમ 80 C હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:

 

  • કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર રકમ
  • પોલિસી નંબર અથવા દસ્તાવેજનો ઓળખ નંબર


2. કલમ 80 CCD (1), 80 CCD (1B) હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:

 

  • યોગદાનની રકમ
  • કરદાતાનો PRAN.

કલમ 80CCD(2)

કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત

જો નિયોક્તા PSU અથવા અન્ય હોય તો

પગારના 10% કપાત મર્યાદા

જો નિયોક્તા કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો હોય તો

પગારના 14% કપાત મર્યાદા

 

કલમ 80CCH

અગ્નિપથ યોજનામાં યોગદાનના સંદર્ભમાં કપાત

જ્યાં કરદાતા, અગ્નિપથ યોજનામાં નોંધાયેલ વ્યક્તિ હોવાને કારણે અને 1લી નવેમ્બર, 2022 ના રોજ અથવા તે પછી અગ્નિવીર કોર્પસ ફંડમાં સબ્સ્ક્રાઈબ કરે છે, તેણે ગત વર્ષમાં તેના ખાતામાં કોઈપણ રકમ ઉક્ત ફંડમાં ચૂકવી છે અથવા જમા કરી છે.

 

આ રીતે ચૂકવેલ અથવા જમા કરાવેલ સંપૂર્ણ રકમની, કુલ આવકની ગણતરી હેઠળ કપાતની મંજૂરી આપવામાં આવેલ છે.

જ્યાં અગ્નિવીર કોર્પસ ફંડમાં કરદાતાના ખાતામાં કેન્દ્ર સરકાર કોઈ યોગદાન આપે છે

આ રીતે યોગદાન આપેલ સંપૂર્ણ રકમની કુલ આવકની ગણતરી હેઠળ કપાતની મંજૂરી આપવામાં આવી છે

 

કલમ 80D

આરોગ્ય વીમા પ્રીમિયમ અને નિવારક આરોગ્ય તપાસ માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે કપાત

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

₹ 25,000 (₹ 50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

માતાપિતા માટે

₹ 25,000 (₹50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

 

 

 

 

 

 

 

 

આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ચુકવેલ ન હોય તો, વરિષ્ઠ નાગરિક પર કરવામાં આવતા તબીબી ખર્ચ માટે કપાત

 

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

₹ 50,000ની કપાત મર્યાદા

માતાપિતા માટે

₹ 50,000ની કપાત મર્યાદા

નોંધ:

કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:

  • વીમાદાતાનું નામ (વીમા કંપની)
  • પોલિસી નંબર
  • આરોગ્ય વીમા રકમ

કલમ 80DD

 

 

 

દિવ્યાંગ આશ્રિતોની જાળવણી અથવા તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણીઓ અથવા સંબંધિત માન્ય યોજના હેઠળ કોઈ પણ ચૂકવેલ/જમા કરાવેલ રકમ હેઠળ કપાત

ની ફ્લેટ કપાત
₹ 75,000
ની ચોખ્ખી કપાત ઉપલબ્ધ છે, ખર્ચ કરેલી રકમને ધ્યાનમાં લીધા વગર, વિંકલાંગ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.

કપાત છે
₹ 1,25,000
જો વ્યક્તિને ગંભીર અસમર્થતા હોય (80 % અથવા વધુ).=

 
 

 

 

 


કૃપા કરીને નોંધ લો કે: કલમ 80DD હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:

 

  • વિકલાંગતાનો પ્રકાર
  • વિકલાંગતાનો પ્રકાર
  • કપાતની રકમ
  • આશ્રિતના પ્રકાર
  • આશ્રિતનું PAN
  • આશ્રિતનું આધાર
  • ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, અથવા બહુવિધ અપંગતાના કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10 IAનો સ્વીકૃતિ નંબર.
  • UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)

કલમ 80DDB

 

 

નિર્દિષ્ટ રોગો માટે સ્વ અથવા આશ્રિતની તબીબી સારવાર માટે કરવામાં આવેલ ચુકવણી માટે કપાત

 

કપાત મર્યાદા
₹ 40,000
(₹ 1,00,000 જો વરિષ્ઠ નાગરિક હોય તો)

 
 

 

કલમ 80E

પોતાના અથવા સંબંધીના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત

લીધેલી લોન પર વ્યાજ માટે ચુકવેલ કુલ રકમ

નોંધ:


કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:

  • બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
  • જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
  • બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
  • લોન મંજૂર થયાની તારીખ
  • લોનની કુલ રકમ
  • નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
  • કલમ 80E હેઠળ વ્યાજ

કૃપા કરીને નોંધ લો કે કલમ 80E હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ.

કલમ 80EE

રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી માટે કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2016 થી 31મી માર્ચ 2017ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ છે.

કપાત મર્યાદા
₹ 50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:


કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:

  • બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
  • જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
  • બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
  • લોન મંજૂર થયાની તારીખ
  • લોનની કુલ રકમ
  • નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
  • કલમ 80E હેઠળ વ્યાજ

કલમ 80EEA

પ્રથમ વખત રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લીધેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2022ની વચ્ચે મંજૂર કરવામાં આવી હોય અને કપાતનો દાવો કલમ 80EE હેઠળ કરેલો હોવો જોઈએ નહીં.

 

કપાત મર્યાદા
₹ 1,50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:


કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:

  • રહેણાંક મકાન મિલકતનું સ્ટેમ્પ મૂલ્ય
  • બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
  • જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
  • બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
  • લોન મંજૂર થયાની તારીખ
  • લોનની કુલ રકમ
  • નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
  • કલમ 80E હેઠળ વ્યાજ

કૃપા કરીને નોંધ લો કે કલમ 80EEA હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ. ઉપરાંત, કરદાતા લોન મંજૂરીની તારીખ અને અન્ય યોગ્ય શરતોના આધારે 80EE અથવા 80EEA નો દાવો કરી શકે છે.

કલમ 80EEB

ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ હોય.

કપાત મર્યાદા
₹ 1,50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:


કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:

  • બેંક / સંસ્થાન પાસેથી લીધેલી લોન
  • જે સંસ્થાન / બેંકમાંથી લોન લેવામાં આવી છે તેનું નામ
  • બેંક / સંસ્થાનનો લોન ખાતા નંબર
  • લોન મંજૂર થયાની તારીખ
  • લોનની કુલ રકમ
  • નાણાકીય વર્ષની અંતિમ તારીખે બાકી લોન
  • કલમ 80E હેઠળ વ્યાજ

કલમ 80G

નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે

કોઈપણ મર્યાદા વિના

100% કપાત

50% કપાત

પાત્રતાની મર્યાદાને આધિન

100% કપાત

50% કપાત

 

 

 

નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં

 

કલમ 80GG

ઘર માટે ચુકવેલ ભાડા પર કપાત અને માત્ર સ્વ-રોજગાર ધરાવતા અથવા જેમના માટે HRA પગારનો ભાગ નથી તેમને લાગુ પડે છે.

કપાત તરીકે નિમ્નલિખિત માંથી જે ઓછામાં ઓછું હશે એને મંજૂરી આપવામાં આવશે

આ કપાત પહેલાં ચુકવેલ ભાડુમાં કુલ આવકના 10% જેટલો ઘટાડો થયો છે

દર મહિને ₹ 5,000

કુલ આવકના 25% (લાંબા ગાળાના મૂડી લાભ સિવાય, કલમ 111A હેઠળ ટૂંકા ગાળાના મૂડી લાભ અથવા કલમ 115A અથવા 115D હેઠળ આવક)


નોંધ: કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરવા માટે, આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે ફોર્મ 10BA ફરજિયાતપણે ફાઈલ કરવું અને અનુસૂચિ 80GG માં ફોર્મ 10BA નો સ્વીકૃતિ નંબર દાખલ કરવો ફરજિયાત છે.

 

કલમ 80GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત


દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્ર સરકારે સ્થાપેલું અને જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ફંડ

 

નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી લાભ / લાભની આવકનો સમાવેશ થાય છે

 

 

કલમ 80GGC

 

 

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં આપેલા યોગદાન માટે કપાત

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટમાં આપેલા યોગદાન માટે કપાત.


જો રોકડમાં કોઈ યોગદાન આપવામાં આવે તો કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 
 

 

કલમ 80TTA

 

 

બિન - વરિષ્ઠ નાગરિકો દ્વારા બચત બેંક ખાતાઓ પર પ્રાપ્ત વ્યાજ પર કપાત

કપાત મર્યાદા
₹ 10,000/-

 
 

 

કલમ 80TTB

 

 

નિવાસી વરિષ્ઠ નાગરિકો દ્વારા થાપણો પર પ્રાપ્ત વ્યાજ પર કપાત

કપાત મર્યાદા
₹ 50,000/-

 
 

 

કલમ 80U

 

 

વિંકલાંગતા ધરાવતા નિવાસી વ્યક્તિગત કરદાતા માટે કપાત

ખર્ચને ધ્યાનમાં લીધા વિના વિકલાંગ વ્યક્તિ માટે ફ્લેટ ₹ 75,000ની કપાત

કિંમતને ધ્યાનમાં લીધા વિના ગંભીર વિકલાંગ વ્યક્તિ માટે ફ્લેટ ₹1,25,000 ની કપાત (80% કે તેથી વધુ)

 
 

નોંધ:

કલમ 80U હેઠળ કપાતનો દાવો કરવા માટે, નીચેની વિગતો પ્રદાન કરવાની જરૂર છે:

  • વિકલાંગતાનો પ્રકાર
  • વિકલાંગતાનો પ્રકાર
  • કપાતની રકમ
  • ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, અથવા બહુવિધ અપંગતાના કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IAનો સ્વીકૃતિ નંબર.
  • UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)

 

 
પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: