આકારણી વર્ષ 2025-26 માટે વરિષ્ઠ નાગરિક અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ રિટર્ન અને ફોર્મ
આકારણી વર્ષ 2025-26 માટે વરિષ્ઠ નાગરિક અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ
સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપુર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે મહેરબાની કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને જાહેરનામાનો સંદર્ભ લો
વ્યક્તિગત નિવાસી કે જેની વય 60 વર્ષ કે તેથી વધુ હોય પરંતુ પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે વય 80 વર્ષથી ઓછી હોય તેને આવકવેરાના હેતુસર વરિષ્ઠ નાગરિક ગણવામાં આવે છે. નિવાસી વ્યક્તિ જે ગત વર્ષમાં ગમે ત્યારે 80 વર્ષની કે તેથી મોટી હોય, એ અતિ વરિષ્ઠ નાગરિક છે.
નોંધ:
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194P માં 75 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકને આવકવેરા રિટર્ન ભરવામાંથી છૂટ આપવાની શરતો પ્રદાન કરવામાં આવી છે.
છૂટ માટેની શરતો આ મુજબ છેઃ
- વરિષ્ઠ નાગરિકની ઉંમર 75 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
- વરિષ્ઠ નાગરિક પૂર્વ વર્ષમાં ’નિવાસી’ હોવા જોઇએ
- વરિષ્ઠ નાગરિક ફ઼ક્ત પેન્શનની આવક અને વ્યાજની આવક ધરાવે છે અને વ્યાજની આવક જણાવેલ બેંકમાં જમા /ઉપાર્જિત થાય છે જેમાં તે તેનુ પેન્શન મેળવે છે
- વરિષ્ઠ નાગરિક ઉલ્લેખિત બેંકમાં એક ઘોષણા રજૂ કરશે.
- આ બેંક કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત 'ઉલ્લેખિત બેંક' છે. આવી બેંકો પ્રકરણ VI-A હેઠળ કપાત અને 87A હેઠળ છૂટને ધ્યાનમાં લીધા પછી વરિષ્ઠ નાગરિકોની TDS કપાત માટે જવાબદાર રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ એક વખત ઉલ્લેખિત બેંક 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત કરે તે પછી વરિષ્ઠ નાગરિકો દ્વારા આવકવેરા રિટર્ન રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
કલમ 194P 1લી એપ્રિલ 2021થી લાગુ પડે છે.
|
1. ITR-1 (સહજ) - કોઈપણ વ્યક્તિગત માટે લાગુ |
|||||||
|
આ રિટર્ન એવા નિવાસી (સામાન્ય રીતે નિવાસી ન હોય તે સિવાય) વ્યક્તિ માટે લાગુ પડે છે જેમની કુલ આવક નીચેના કોઈપણ સ્ત્રોતમાંથી ₹ 50 લાખ સુધીની હોય.
|
|
2. ITR-2 - વ્યક્તિગત માટે લાગુ (ITR 1 માટે પાત્ર નથી ) અને HUF |
||
|
આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.
|
|
3. ITR-3 - વ્યક્તિગત અને HUF માટે લાગુ |
||
|
આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.
|
|
4. ITR-4 (સુગમ) – વ્યક્તિગત, HUF અને પેઢી (LLP સિવાય) માટે લાગુ |
||||||||
|
આ રિટર્ન વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જે સામાન્ય નિવાસી ન હોય તે અથવા પેઢી (LLP સિવાય) સિવાય અન્ય નિવાસી હોય, જેની કુલ આવક ₹ 50 લાખ સુધીની છે અને વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવે છે જેની ગણતરી સંભવિત ધોરણે કરવામાં આવે છે અને નીચેના કોઈપણ સ્રોતોમાંથી આવક ધરાવે છે:
|
લાગુ ફોર્મ
|
1. ફોર્મ 15H - કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી વ્યક્તિ (જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે) દ્વારા ઘોષણા કરવાની રહેશે |
||||
|
|
2. ફોર્મ 12BB - (કલમ 192 હેઠળ) કર કપાત માટે કર્મચારી દ્વારા દાવાની વિગતો |
||||
|
|
3. ફોર્મ 16 - પગાર પર સ્ત્રોત પર કર કપાતની વિગતો (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 203 હેઠળ પ્રમાણપત્ર) |
||||
|
|
4. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર |
||||
|
|
5. |
||||
|
|
6. ફોર્મ 10E - જ્યારે પગારની બાકી રકમ અથવા અગ્રિમ પગાર ચુકવવામાં આવે છે ત્યારે કલમ 89(1) હેઠળ રાહતનો દાવો કરવા માટે આવકની વિગતો રજૂ કરવા માટેનું ફોર્મ |
||||
|
|
7. ફોર્મ 67- ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ |
||||
|
|
8. ફોર્મ 3CB -3CD |
||||
|
|
9. ફોર્મ 3CEB |
||||
|
આકારણી વર્ષ 2025-26*** માટે કર સ્લેબ
- નાણાકીય અધિનિયમ 2024 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી કરદાતા વ્યક્તિ, HUF, AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. તેમ છતાં, પાત્ર કરદાતાઓ પાસે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ હોય છે અને તેઓ જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનું પસંદ કરી શકે છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલી હેઠળ, કરદાતાઓ પાસે વિવિધ કર કપાત અને છૂટનો દાવો કરવાનો વિકલ્પ હોય છે. જો કે, ડિફોલ્ટ કર પ્રણાલીમાં, કર દર જૂની કર પ્રણાલી કરતા ઓછો હોય છે.
- "બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, પ્રણાલી પસંદ કરવાના વિકલ્પનો ઉપયોગ દર વર્ષે કલમ 139(1) હેઠળ નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા માટેના ITRમાં સીધો ઉપયોગ કરી શકાય છે.
- વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓના કિસ્સામાં, જો કરદાતા ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોઈ, તો તેઓ આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરી શકે છે. ઉપરાંત, આવા વિકલ્પને પાછો લઈ લેવા માટેનો હેતુ એટલે કે નવી કર પ્રણાલીમાં પુનઃદાખલ થવા માટે ફોર્મ નં.10-IEA રજૂ કરવાનું રહેશે. જો કે, જૂની કર પ્રણાલી પાછી લઈ લેવાનો અને ડિફોલ્ટ કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવાનો વિકલ્પ ફક્ત અનુગામી આકારણી વર્ષમાં જ ઉપલબ્ધ છે અને વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે જીવનમાં ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે.
- પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષ કે તેથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:
|
જૂની કર પ્રણાલી |
કલમ 115BAC (1A) હેઠળ ડિફોલ્ટ કર પ્રણાલી |
||||
|
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
આવકવેરા સ્લેબ |
આવક વેરાનો દર |
*અધિક કર |
|
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
₹ 3,00,000 સુધી |
કંઈપણ નહીં |
કંઈપણ નહીં |
|
₹ 3,00,001 - ₹ 5,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
₹ 3,00,001 - ₹ 7,00,000** |
₹ 3,00,000 થી વધુ માટે 5% |
કંઈપણ નહીં |
|
₹ 5,00,001 - ₹ 10,00,000 |
₹ 5,00,000થી વધુ માટે ₹ 10,000 + 20% |
કંઈપણ નહીં |
₹ 7,00,001 - ₹ 10,00,000 |
₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10% |
કંઈપણ નહીં |
|
₹ 10,00,001- ₹ 50,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
કંઈપણ નહીં |
₹ 10,00,001 - ₹ 12,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15% |
કંઈપણ નહીં |
|
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
10% |
₹ 12,00,001 - ₹ 15,00,000 |
₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20% |
કંઈપણ નહીં |
|
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
15% |
₹ 15,00,001- ₹ 50,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
કંઈપણ નહીં |
|
₹ 200,00,001- ₹ 500,00,000 |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
25% |
₹ 50,00,001- ₹ 100,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
10% |
|
₹ 500,00,000થી વધુ માટે |
₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30% |
37% |
₹ 100,00,001- ₹ 200,00,000 |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
15% |
|
|
|
|
₹ 200,00,001થી વધુ માટે |
₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30% |
25% |
- પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ તેથી વધુ ઉંમરના વ્યક્તિગત (નિવાસી કે બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. તેથી, આવી આવક પર ચુકવવાપાત્ર કર પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.
**કલમ 87A હેઠળ છૂટ: નિવાસી વ્યક્તિઓ પણ આવકવેરાના 100% સુધીની છૂટ માટે પાત્ર છે, જે નીચે મુજબની કર પ્રણાલીના આધારે મહત્તમ મર્યાદાને આધિન છે:
|
કુલ આવક |
જૂની કર પ્રણાલી |
નવી કર પ્રણાલી |
|
કલમ 87A હેઠળ લાગુ છૂટ |
||
|
રૂ. 5 લાખ સુધી |
જો કુલ આવક રૂ. 5,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..12,500 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી) |
જો કુલ આવક રૂ. 7,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..20,000 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી) |
|
5 લાખથી 7 લાખ સુધી |
કંઈપણ નહીં |
|
***નોંધ: આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે બંને પ્રણાલીમાં આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો)ની રકમ પર ચુકવવામાં આવશે.
જો જૂની કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ, ₹ 2 કરોડ અથવા ₹ 5 કરોડથી વધુની આવક હોય અને નવી કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ અને ₹ 2 કરોડથી વધુની આવક હોય તો અધિક કરમાંથી સીમાંત રાહતનો દાવો કરી શકાય છે:
|
ચોખ્ખી આવક શ્રેણી |
સીમાંત રાહત |
|
|
(રૂ.) થી વધુ |
(રૂ.) થી વધુ નહીં
|
|
|
50 લાખ |
1 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 50 લાખની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.50 લાખથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
1 કરોડ |
2 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 1 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.1 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
2 કરોડ |
5 કરોડ |
આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 2 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.2 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
|
5 કરોડ |
– |
આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 5કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં જૂની કર પ્રણાલી હેઠળ રૂ.5 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ. |
રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું
A. કલમ 115BAC (1A) હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનારા કરદાતાને નિમ્નલિખિત કપાત ઉપલબ્ધ રહેશે:
1. કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.
|
સંપત્તિનો પ્રકાર |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
ITR ભરવા માટેની જરૂરી વિગતો |
|
ભાડે આપેલ |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
વાસ્તવિક મૂલ્ય કોઈપણ મર્યાદા વિના (પરંતુ "મકાન મિલકતમાંથી આવક" શીર્ષક હેઠળ જો કોઈ નુકસાન હોય તો તેને શેડ્યૂલ CYLAમાં અન્ય કોઈપણ શીર્ષક સામે સમાયોજિત કરી શકાતું નથી અને તેને આગળના વર્ષોમાં આગળ ( b / f ) લઈ જઈ શકાતું નથી) |
• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન • બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે • લોન ખાતા નંબર. • લોન મંજૂર થયાની તારીખ • લોનની કુલ રકમ • નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન • કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ |
2. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80CCD(2) |
|||||
|
કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત
|
B. જૂની કર પ્રણાલી પસંદ કરતા કરદાતા માટે નિમ્નલિખિત કપાત ઉપલબ્ધ રહેશે
- કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:
|
સંપત્તિનો પ્રકાર |
જ્યારે લોન લેવામાં આવી હતી |
લોનનો હેતુ |
માન્ય (મહત્તમ મર્યાદા) |
જરૂરી વિગતો |
|
પોતાની માલિકી |
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 2,00,000 |
• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન • બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે • લોન ખાતા નંબર. • લોન મંજૂર થયાની તારીખ • લોનની કુલ રકમ • નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન • કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ |
|
1/04/1999 ના રોજ અથવા પછી |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
||
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
₹ 30,000 |
||
|
1/04/1999 પહેલાં |
મકાન મિલકતના સમારકામ માટે |
₹ 30,000 |
||
|
ભાડે આપેલ |
કોઈપણ સમયે |
મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી |
કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય |
2. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત
|
કલમ 80C, 80CCC, 80CCD (1) |
||||||||
|
કરવામાં આવેલી ચુકવણીઓ પર કપાત
|
||||||||
|
કલમ 80CCD(1B) |
|
||||
|
80CCD (1) હેઠળ દાવો કરાયેલ કપાતને બાદ કરતાં, કેન્દ્રીય સરકારની પેન્શન યોજનામાં કરવામાં આવેલી ચુકવણીઓ માટે કપાત. |
|
||||
નોંધ:
કલમ 80 CCD (1), 80 CCD (1B) હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
• યોગદાનની રકમ
• કરદાતાનો PRAN
|
કલમ 80CCD(2) |
||||||||||
|
કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત
|
|
કલમ 80D |
||||||||||||||||||||
|
આરોગ્ય વીમા પ્રીમિયમ અને નિવારક આરોગ્ય તપાસ માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે કપાત
આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ચુકવેલ ન હોય તો, વરિષ્ઠ નાગરિક પર કરવામાં આવતા તબીબી ખર્ચ માટે કપાત
|
કૃપા કરીને નોંધ લો:
જો તમે કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:
• વીમાકર્તાનું નામ (વીમા કંપની)
• પોલિસી નંબર
• આરોગ્ય વીમા રકમ
|
કલમ 80DD |
|
|
|
દિવ્યાંગ આશ્રિતોની જાળવણી અથવા તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણીઓ અથવા સંબંધિત માન્ય યોજના હેઠળ કોઈ પણ ચૂકવેલ/જમા કરાવેલ રકમ હેઠળ કપાત |
ની ફ્લેટ કપાત કપાત છે |
|
નોંધ:
કલમ 80 હેઠળ કપાતનો દાવો કરવા માટે નીચેની વિગતો ITRમાં પ્રદાન કરવી જરૂરી છે:
• વિકલાંગતાનું સ્વરૂપ
• વિકલાંગતાનો પ્રકાર
• કપાતની રકમ
• આશ્રિતનો પ્રકાર
• આશ્રિતનો PAN
• આશ્રિતનો આધાર
• ઓટીઝમ, મગજનો લકવો, માનસિક વિકલાંગતા કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IA નો સ્વીકૃતિ નંબર.
• UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)
|
કલમ 80DDB |
|
|
|
ઉલ્લેખિત રોગ માટે સ્વયંની અથવા આશ્રિતની તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણી માટે કપાત. |
₹ 40,000 ની કપાત મર્યાદા (₹ 1,00,000 જો વરિષ્ઠ નાગરિક હોય તો) |
|
|
કલમ 80E |
||
|
પોતાના અથવા સંબંધીના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત |
|
|
નોંધ:
કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• સંસ્થા / બેંકનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80E હેઠળ વ્યાજ
કૃપા કરીને નોંધ લો કે કલમ 80E હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ.
|
કલમ 80EE |
||
|
રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી માટે કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2016 થી 31મી માર્ચ 2017ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ છે. |
|
|
નોંધ:
કલમ 80EE હેઠળ દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EE હેઠળ વ્યાજ
|
કલમ 80EEA |
|||
|
પ્રથમ વખત રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લીધેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2022ની વચ્ચે મંજૂર કરવામાં આવી હોય અને કપાતનો દાવો કલમ 80EE હેઠળ કરેલો હોવો જોઈએ નહીં. |
|
||
નોંધ:
કલમ 80EEA હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે
• આવાસીય મકાન મિલકતનું સ્ટેમ્પ મૂલ્ય
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EEA હેઠળ વ્યાજ
કૃપા કરીને નોંધ લો કે કલમ 80EEA હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ. ઉપરાંત, કરદાતા લોન મંજૂરીની તારીખ અને અન્ય યોગ્ય શરતોના આધારે 80EE અથવા 80EEA નો દાવો કરી શકે છે.
|
કલમ 80EEB |
||
|
ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ હોય. |
|
|
નોંધ:
કલમ 80EEB હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે.
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• વ્યાજની રકમ 80EEB
• વાહન નોંધણી નંબર.
|
કલમ 80G |
||||||||||||
|
નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત. દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે
નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં |
|
કલમ 80GG |
|||
|
ઘર માટે ચુકવેલ ભાડા પર કપાત અને માત્ર સ્વ-રોજગાર ધરાવતા અથવા જેમના માટે HRA પગારનો ભાગ નથી તેમને લાગુ પડે છે. કપાત તરીકે નિમ્નલિખિત માંથી જે ઓછામાં ઓછું હશે એને મંજૂરી આપવામાં આવશે
|
|
કલમ 80GGA |
|||||||
|
વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત
|
|
કલમ 80GGC |
|
||||
|
રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટને આપેલ દાન માટે કપાત |
|
||||
|
કલમ 80TTB |
|
||||
|
નિવાસી વરિષ્ઠ નાગરિકો દ્વારા થાપણો પર પ્રાપ્ત વ્યાજ પર કપાત |
|
||||
|
કલમ 80U |
|
||||
|
વિંકલાંગતા ધરાવતા નિવાસી વ્યક્તિગત કરદાતા માટે કપાત |
|
||||
કૃપા કરીને નોંધ લો:
કલમ 80U હેઠળ કપાતનો દાવો કરવા માટે, નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે.
• વિકલાંગતાનું સ્વરૂપ
• વિકલાંગતાનો પ્રકાર
• કપાતની રકમ
• ઓટીઝમ, મગજનો લકવો, માનસિક વિકલાંગતા કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IA નો સ્વીકૃતિ નંબર.
• UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)
કરદાતાની વયને ધ્યાનમાં લીધા વિના લાગુ કર લાભો ઉપરાંત, વરિષ્ઠ / અતિ વરિષ્ઠ નાગરિક માટે અમુક વધારાના/અતિરિક્ત લાભો છે. અતિરિક્ત લાભો નીચે સુચિબદ્ધ છે:
આવકવેરા રિટર્નનું પેપર ફાઈલિંગ
અતિ વરિષ્ઠ નાગરિક (80 વર્ષ કે તેથી વધુ વયના) ઓફલાઈન/પેપર મોડમાં ફોર્મ 1 અથવા 4 નો ઉપયોગ કરીને તેમના ITR ને સબમિટ કરવાનો વિકલ્પ ધરાવે છે. ઈ-ફાઈલિંગ વિકલ્પ પણ તેમને ઉપલબ્ધ રહે છે.
અગ્રિમ કરની ચુકવણીથી રાહત
કલમ 208 મુજબ, દરેક વ્યક્તિ કે જેની વર્ષ માટે અંદાજિત કર જવાબદારી ₹ 10,000 અથવા તેથી વધુ છે, તેણે અગ્રિમ કરના રૂપમાં અગાઉથી તેનો કર ચુકવવાનો રહેશે. પરંતુ, કલમ 207 નિવાસી વરિષ્ઠ નાગરિકને અગ્રિમ કરની ચુકવણીથી રાહત આપે છે. આમ, એક નિવાસી વરિષ્ઠ નાગરિક, ધંધા અથવા વ્યવસાયમાંથી કોઈ આવક ન હોવાને કારણે, અગ્રિમ કર ચૂકવવા માટે જવાબદાર નથી. તેથી, 234B અને 234C એ ITR 1 અને ITR 2 ફાઈલ કરતા વરિષ્ઠ અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ પડતા નથી.
બેંક થાપણોના વ્યાજ પર આવક વેરા કપાત
આવકવેરા અધિનિયમની કલમ 80TTB બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંકમાં થાપણોમાંથી મેળવેલા વ્યાજ પર કરલાભને મંજૂરી આપે છે. વરિષ્ઠ નાગરિક દ્વારા મેળવાયેલા રૂ. 50,000 સુધીના મહત્તમ વ્યાજની આવક માટે કપાતની મંજૂરી છે. બચત થાપણો અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ બંને પર કમાયેલું વ્યાજ આ જોગવાઈ અંતર્ગત કપાત માટે પાત્ર છે.
ઉપરાંત આવકવેરા અધિનિયમની કલમ 194A હેઠળ બેંક, પોસ્ટ ઓફિસ કે સહકારી બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકને ₹50,000 સુધીના વ્યાજની ચુકવણી પર સ્રોત પર કર કપાત (TDS) કરવામાં આવતો નથી. આ મર્યાદાની ગણતરી દરેક બેંક માટે વ્યક્તિગત રીતે કરવામાં આવે છે.
તબીબી વીમા અને ખર્ચના સંદર્ભમાં કર લાભો
આવકવેરા અધિનિયમની કલમ 80D મુજબ વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા પોલિસી માટે પ્રીમિયમની ચુકવણી માટે ₹ 50,000 સુધીની વધુ કપાતનો લાભ મેળવી શકે છે. બિન-વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં મર્યાદા રૂ. 25,000 છે.
વધુમાં આવકવેરા અધિનિયમની કલમ 80DDB અધિનિયમમાં જણાવ્યા મુજબ ચોક્કસ રોગોની સારવાર માટે કોઈ વ્યક્તિ દ્વારા પોતાના પર અથવા આશ્રિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર કર કપાતની મંજૂરી આપે છે. વરિષ્ઠ નાગરિકના કિસ્સામાં મહત્તમ કપાતની રકમ છે રૂ. 1 લાખ (બિન-વરિષ્ઠ નાગરિક કરદાતાઓ માટે ₹ 40,000 છે).