Do not have an account?
Already have an account?

 

આકારણી વર્ષ 2025-26 માટે વરિષ્ઠ નાગરિક અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ રિટર્ન અને ફોર્મ

આકારણી વર્ષ 2025-26 માટે વરિષ્ઠ નાગરિક અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપુર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે મહેરબાની કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને જાહેરનામાનો સંદર્ભ લો

 

વ્યક્તિગત નિવાસી કે જેની વય 60 વર્ષ કે તેથી વધુ હોય પરંતુ પાછલા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે વય 80 વર્ષથી ઓછી હોય તેને આવકવેરાના હેતુસર વરિષ્ઠ નાગરિક ગણવામાં આવે છે. નિવાસી વ્યક્તિ જે ગત વર્ષમાં ગમે ત્યારે 80 વર્ષની કે તેથી મોટી હોય, એ અતિ વરિષ્ઠ નાગરિક છે.

 

નોંધ:

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194P માં 75 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકને આવકવેરા રિટર્ન ભરવામાંથી છૂટ આપવાની શરતો પ્રદાન કરવામાં આવી છે.

છૂટ માટેની શરતો આ મુજબ છેઃ

  • વરિષ્ઠ નાગરિકની ઉંમર 75 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
  • વરિષ્ઠ નાગરિક પૂર્વ વર્ષમાં ’નિવાસી’ હોવા જોઇએ
  • વરિષ્ઠ નાગરિક ફ઼ક્ત પેન્શનની આવક અને વ્યાજની આવક ધરાવે છે અને વ્યાજની આવક જણાવેલ બેંકમાં જમા /ઉપાર્જિત થાય છે જેમાં તે તેનુ પેન્શન મેળવે છે
  • વરિષ્ઠ નાગરિક ઉલ્લેખિત બેંકમાં એક ઘોષણા રજૂ કરશે.
  • આ બેંક કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત 'ઉલ્લેખિત બેંક' છે. આવી બેંકો પ્રકરણ VI-A હેઠળ કપાત અને 87A હેઠળ છૂટને ધ્યાનમાં લીધા પછી વરિષ્ઠ નાગરિકોની TDS કપાત માટે જવાબદાર રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ એક વખત ઉલ્લેખિત બેંક 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત કરે તે પછી વરિષ્ઠ નાગરિકો દ્વારા આવકવેરા રિટર્ન રજૂ કરવાની જરૂર રહેશે નહીં.

કલમ 194P 1લી એપ્રિલ 2021થી લાગુ પડે છે.

 

 

1. ITR-1 (સહજ) - કોઈપણ વ્યક્તિગત માટે લાગુ

આ રિટર્ન એવા નિવાસી (સામાન્ય રીતે નિવાસી ન હોય તે સિવાય) વ્યક્તિ માટે લાગુ પડે છે જેમની કુલ આવક નીચેના કોઈપણ સ્ત્રોતમાંથી ₹ 50 લાખ સુધીની હોય.

પગાર / પેન્શન

એક ગૃહ મિલકત

અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.)

₹ 5,000 સુધીની કૃષિ આવક

કલમ 112A હેઠળ રૂ. 125000 સુધીનો મૂડી લાભ

 

નોંધ: ITR-1 નો ઉપયોગ એવી વ્યક્તિ દ્વારા કરી શકાતો નથી કે જે:

  1. કંપનીમાં નિર્દેશક છે
  2. ટૂંકા ગાળાના મૂડી લાભ ધરાવે છે
  3. કલમ 112A હેઠળ લાંબા ગાળાનો મૂડી લાભ રૂ..1.25 લાખથી વધુ છે
  4. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવતા હોય
  5. જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ સંસ્થામાં નાણાકીય હિત સહિત) છે
  6. ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાની સત્તા ધરાવે છે, અથવા
  7. ભારતની બહારના કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવે છે
  8. એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં કલમ 194N હેઠળ કર કપાત કરવામાં આવ્યો હોય
  9. એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં ESOP પર કરની ચુકવણી અથવા કપાત મુલતવી રાખવામાં આવી હોય.
  10. જેની કુલ આવક રૂ. 50 લાખથી વધુ છે

 

 

2. ITR-2 - વ્યક્તિગત માટે લાગુ (ITR 1 માટે પાત્ર નથી ) અને HUF

આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.

કે જેની આવક, વ્યાપાર અથવા વ્યવસાયથી થતા નફા કે લાભ ના વર્ગ અંતર્ગત થતી ન હોય

કે જે ITR-1 ફાઈલ કરવા માટે પાત્ર નથી

 

3. ITR-3 - વ્યક્તિગત અને HUF માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે.

કે જેની આવક, વ્યાપાર અથવા વ્યવસાયથી થતા નફા કે લાભ ના વર્ગ અંતર્ગત થતી હોય

કે જે ITR-1, 2 અથવા 4 ફાઈલ કરવા માટે પાત્ર નથી

 

 

 

 

4. ITR-4 (સુગમ) – વ્યક્તિગત, HUF અને પેઢી (LLP સિવાય) માટે લાગુ

આ રિટર્ન વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) માટે લાગુ પડે છે, જે સામાન્ય નિવાસી ન હોય તે અથવા પેઢી (LLP સિવાય) સિવાય અન્ય નિવાસી હોય, જેની કુલ આવક ₹ 50 લાખ સુધીની છે અને વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવે છે જેની ગણતરી સંભવિત ધોરણે કરવામાં આવે છે અને નીચેના કોઈપણ સ્રોતોમાંથી આવક ધરાવે છે:

પગાર / પેન્શન

એક ગૃહ મિલકત

અન્ય સ્રોતો (વ્યાજ, કૌટુંબિક પેન્શન, ડિવિડન્ડ વગેરે.)

₹ 5,000 સુધીની કૃષિ આવક

વ્યાપાર / વ્યવસાયમાંથી આવકની ગણતરી કલમ 44AD / 44ADA/ 44AE હેઠળ સંભવિત ધોરણે કરવામાં આવે છે

કલમ 112A હેઠળ રૂ. 125000 સુધીનો મૂડી લાભ

 

નોંધ: ITR-1 નો ઉપયોગ એવી વ્યક્તિ દ્વારા કરી શકાતો નથી કે જે:

  1. કંપનીમાં નિર્દેશક છે
  2. ટૂંકા ગાળાના મૂડી લાભ ધરાવે છે
  3. કલમ 112A હેઠળ લાંબા ગાળાનો મૂડી લાભ રૂ..1.25 લાખથી વધુ છે
  4. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવતા હોય
  5. જેની પાસે ભારતની બહાર સ્થિત કોઈપણ સંપત્તિ (કોઈપણ સંસ્થામાં નાણાકીય હિત સહિત) છે
  6. ભારતની બહાર સ્થિત કોઈપણ ખાતામાં હસ્તાક્ષર કરવાની સત્તા ધરાવે છે, અથવા
  7. ભારતની બહારના કોઈ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવે છે
  8. એવી વ્યક્તિ છે જેના કિસ્સામાં ESOP પર કરની ચુકવણી અથવા કપાત મુલતવી રાખવામાં આવી હોય.
  9. જેની કુલ આવક રૂ. 50 લાખથી વધુ છે

 

નોંધ: 2 ITR-4 (સુગમ) ફરજિયાત નથી. તે એક સરળ રિટર્ન ફોર્મ છે જેનો કરદાતા દ્વારા, તેના વિકલ્પ પર ઉપયોગ કરી શકાય છે, જો તે કલમ / 44AD, 44ADA અથવા 44AE હેઠળ સંભવિત ધોરણે વ્યાપાર અને વ્યવસાયમાંથી મેળવેલા નફા અને લાભની ઘોષણા માટે પાત્ર છે.

 

 

લાગુ ફોર્મ

1. ફોર્મ 15H - કર કપાત વિના ચોક્કસ પ્રાપ્તિનો દાવો કરતી વ્યક્તિ (જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે) દ્વારા ઘોષણા કરવાની રહેશે

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

60 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિવાસી વ્યક્તિ જેણે વ્યાજની આવક પર TDS કપાત ન કરવા માટે બેંકને જાણ કરવાની રહેશે

નાણાકીય વર્ષ માટે અંદાજિત આવક

 

2. ફોર્મ 12BB - (કલમ 192 હેઠળ) કર કપાત માટે કર્મચારી દ્વારા દાવાની વિગતો

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી તેના નિયોક્તા(ઓ)ને

સ્ત્રોત પર કર કપાત (TDS) ની ગણતરીના હેતુસર HRA ના પુરાવા અથવા વિગતો, LTC, ઉધાર લીધેલ મૂડી પર વ્યાજની કપાત, કર બચત દાવાઓ/ કપાત

 

3. ફોર્મ 16 - પગાર પર સ્ત્રોત પર કર કપાતની વિગતો (આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 203 હેઠળ પ્રમાણપત્ર)

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી તેના નિયોક્તા(ઓ)ને

ચૂકવવાપાત્ર/રિફંડપાત્ર કરની ગણતરીના હેતુસર ચૂકવેલ પગાર, કપાત/છૂટ અને સ્રોત પર કર કપાત.

 

 

4. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.

 

5.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)

 

6. ફોર્મ 10E - જ્યારે પગારની બાકી રકમ અથવા અગ્રિમ પગાર ચુકવવામાં આવે છે ત્યારે કલમ 89(1) હેઠળ રાહતનો દાવો કરવા માટે આવકની વિગતો રજૂ કરવા માટેનું ફોર્મ

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

એક કર્મચારી આવકવેરા વિભાગને

  • બાકી રકમ / આગોતરો પગાર
  • નિવૃત્તી લાભ/ગ્રેચ્યુઈટી
  • સમાપ્તિ પર વળતર
  • પેન્શનનું રૂપાંતર

 

7. ફોર્મ 67- ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકનું નિવેદન અને વિદેશી કર ક્રેડિટ

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા

ભારતની બહારના કોઈ દેશ અથવા ઉલ્લેખિત પ્રદેશમાંથી થતી આવક અને દાવો કરવામાં આવેલ વિદેશી કર ક્રેડિટ.

 

8. ફોર્મ 3CB -3CD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા જેમને કલમ 44AB હેઠળ હિસાબનીશ દ્વારા તેના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે.

કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.


 

 

ખાતાનો ઓડિટ અહેવાલ અને વિગતોનું નિવેદન આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 44AB હેઠળ રજૂ કરવા જરૂરી છે.

 

9. ફોર્મ 3CEB

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અથવા નિર્દિષ્ટ સ્થાનિક લેવડ-દેવડમાં પ્રવેશ કરવા માટે કલમ 92E હેઠળ હિસાબનીશ પાસેથી રિપોર્ટ મેળવવો જરૂરી છે.

કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખથી એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ (ઓ) અને નિર્દિષ્ટ સ્થાનિક લેવડ-દેવડ સંબંધિત આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 92E હેઠળ ઓડિટ અહેવાલ.

 

આકારણી વર્ષ 2025-26*** માટે કર સ્લેબ

  • નાણાકીય અધિનિયમ 2024 એ આકારણી વર્ષ 2024-25 થી અમલી બનેલ કલમ 115BAC ની જોગવાઈઓમાં સુધારો કર્યો છે જેથી કરદાતા વ્યક્તિ, HUF, AOP (સહકારી મંડળીઓ નહીં), BOI અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી શકાય. તેમ છતાં, પાત્ર કરદાતાઓ પાસે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ હોય છે અને તેઓ જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનું પસંદ કરી શકે છે. જૂની કર પ્રણાલી આવકવેરાની ગણતરીની પદ્ધતિ અને નવી કર પ્રણાલીના સમાવેશ પહેલાં અસ્તિત્વમાં રહેલા કર સ્લેબનો ઉલ્લેખ કરે છે. જૂની કર પ્રણાલી હેઠળ, કરદાતાઓ પાસે વિવિધ કર કપાત અને છૂટનો દાવો કરવાનો વિકલ્પ હોય છે. જો કે, ડિફોલ્ટ કર પ્રણાલીમાં, કર દર જૂની કર પ્રણાલી કરતા ઓછો હોય છે.
  • "બિન-વ્યાપારી મામલા"ના કિસ્સામાં, પ્રણાલી પસંદ કરવાના વિકલ્પનો ઉપયોગ દર વર્ષે કલમ 139(1) હેઠળ નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવા માટેના ITRમાં સીધો ઉપયોગ કરી શકાય છે.
  • વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓના કિસ્સામાં, જો કરદાતા ડિફોલ્ટ કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોઈ, તો તેઓ આવકનું રિટર્ન રજૂ કરવા માટે કલમ 139(1) હેઠળ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ-10-IEA રજૂ કરી શકે છે. ઉપરાંત, આવા વિકલ્પને પાછો લઈ લેવા માટેનો હેતુ એટલે કે નવી કર પ્રણાલીમાં પુનઃદાખલ થવા માટે ફોર્મ નં.10-IEA રજૂ કરવાનું રહેશે. જો કે, જૂની કર પ્રણાલી પાછી લઈ લેવાનો અને ડિફોલ્ટ કર પ્રણાલીમાં પુનઃ દાખલ થવાનો વિકલ્પ ફક્ત અનુગામી આકારણી વર્ષમાં જ ઉપલબ્ધ છે અને વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે જીવનમાં ફક્ત એક જ વાર ઉપલબ્ધ છે.

 

  1. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 60 વર્ષ કે તેથી વધુ પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ (નિવાસી અથવા બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:

જૂની કર પ્રણાલી

કલમ 115BAC (1A) હેઠળ ડિફોલ્ટ કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 5,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000થી વધુ માટે ₹ 10,000 + 20%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

કંઈપણ નહીં

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

10%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

15%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

25%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,10,000 + 30%

37%

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

  1. પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ તેથી વધુ ઉંમરના વ્યક્તિગત (નિવાસી કે બિન-નિવાસી) માટે કર દર નીચે મુજબ છે:

જૂની કર પ્રણાલી

કલમ 115BAC હેઠળ નવી કર પ્રણાલી

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

આવકવેરા સ્લેબ

આવક વેરાનો દર

*અધિક કર

₹ 5,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 3,00,000 સુધી

કંઈપણ નહીં

કંઈપણ નહીં

₹ 5,00,001 - ₹ 10,00,000

₹ 5,00,000 થી વધુ માટે 20%

કંઈપણ નહીં

₹ 3,00,001 - ₹ 7,00,000**

₹ 3,00,000 થી વધુ માટે 5%

કંઈપણ નહીં

₹ 10,00,001- ₹ 50,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

કંઈપણ નહીં

₹ 7,00,001 - ₹ 10,00,000

₹ 7,00,000થી વધુ માટે ₹ 20,000 + 10%

કંઈપણ નહીં

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

10%

₹ 10,00,001 - ₹ 12,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 50,000 + 15%

કંઈપણ નહીં

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

15%

₹ 12,00,001 - ₹ 15,00,000

₹ 12,00,000થી વધુ માટે ₹ 80,000 + 20%

કંઈપણ નહીં

₹ 200,00,001- ₹ 500,00,000

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

25%

₹ 15,00,001- ₹ 50,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

કંઈપણ નહીં

₹ 500,00,000થી વધુ માટે

₹ 10,00,000થી વધુ માટે ₹ 1,00,000 + 30%

37%

₹ 50,00,001- ₹ 100,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

10%

 

 

 

₹ 100,00,001- ₹ 200,00,000

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

15%

 

 

 

₹ 200,00,001થી વધુ માટે

₹ 15,00,000થી વધુ માટે ₹ 1,40,000 + 30%

25%

 

*નોંધ: કલમ 111A, 112, 112A અને ડિવિડન્ડ આવક હેઠળ કરપાત્ર આવકમાંથી, મામલો હોય એ મુજબ, 25% અને 37% જેટલો, અતિરિક્ત અધિક કર વસૂલવામાં આવતો નથી. તેથી, આવી આવક પર ચુકવવાપાત્ર કર પર અધિક કરનો મહત્તમ દર 15% રહેશે, સિવાય કે જ્યારે આવક કલમ 115A, 115AB, 115AC, 115ACA અને 115E હેઠળ કરપાત્ર હોય.


**કલમ 87A હેઠળ છૂટ: નિવાસી વ્યક્તિઓ પણ આવકવેરાના 100% સુધીની છૂટ માટે પાત્ર છે, જે નીચે મુજબની કર પ્રણાલીના આધારે મહત્તમ મર્યાદાને આધિન છે:

કુલ આવક

જૂની કર પ્રણાલી

નવી કર પ્રણાલી

કલમ 87A હેઠળ લાગુ છૂટ

રૂ. 5 લાખ સુધી

જો કુલ આવક રૂ. 5,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..12,500 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી)

જો કુલ આવક રૂ. 7,00,000 થી વધુ ન હોય તો નિવાસી વ્યક્તિઓ માટે રૂ..20,000 સુધીની કર છૂટ લાગુ પડે છે (NRI માટે લાગુ પડતી નથી)

5 લાખથી 7 લાખ સુધી

કંઈપણ નહીં

 

***નોંધ: આરોગ્ય અને શિક્ષણ ઉપકર 4% ના દરે બંને પ્રણાલીમાં આવકવેરા વત્તા અધિક કર (જો કોઈ હોય તો)ની રકમ પર ચુકવવામાં આવશે.

 

જો જૂની કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ, ₹ 2 કરોડ અથવા ₹ 5 કરોડથી વધુની આવક હોય અને નવી કર પ્રણાલી હેઠળ અનુક્રમે ₹ 50 લાખ, ₹ 1 કરોડ અને ₹ 2 કરોડથી વધુની આવક હોય તો અધિક કરમાંથી સીમાંત રાહતનો દાવો કરી શકાય છે:

ચોખ્ખી આવક શ્રેણી

સીમાંત રાહત

(રૂ.) થી વધુ

(રૂ.) થી વધુ નહીં

 

 

50 લાખ

1 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 50 લાખની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.50 લાખથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

1 કરોડ

2 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 1 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.1 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

2 કરોડ

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 2 કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં બંને કર પ્રણાલી હેઠળ રૂ.2 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

5 કરોડ

આવકવેરા અને અધિક કર તરીકે ચૂકવવાપાત્ર રકમ રૂ. 5કરોડની કુલ આવક પર આવકવેરા તરીકે ચૂકવવાપાત્ર કુલ રકમ કરતાં જૂની કર પ્રણાલી હેઠળ રૂ.5 કરોડથી વધુ આવક કરતાં વધુ ન હોવી જોઈએ.

 

રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું

A. કલમ 115BAC (1A) હેઠળ નવી કર પ્રણાલી પસંદ કરનારા કરદાતાને નિમ્નલિખિત કપાત ઉપલબ્ધ રહેશે:

1. કલમ 24(b) - આવાસ લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત.

સંપત્તિનો પ્રકાર

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

ITR ભરવા માટેની જરૂરી વિગતો

ભાડે આપેલ

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

વાસ્તવિક મૂલ્ય કોઈપણ મર્યાદા વિના (પરંતુ "મકાન મિલકતમાંથી આવક" શીર્ષક હેઠળ જો કોઈ નુકસાન હોય તો તેને શેડ્યૂલ CYLAમાં અન્ય કોઈપણ શીર્ષક સામે સમાયોજિત કરી શકાતું નથી અને તેને આગળના વર્ષોમાં આગળ ( b / f ) લઈ જઈ શકાતું નથી)

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ

2. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

કલમ 80CCD(2)

કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત

નિયોક્તાની તમામ શ્રેણીઓ માટે

પગારના 14% કપાત મર્યાદા

B. જૂની કર પ્રણાલી પસંદ કરતા કરદાતા માટે નિમ્નલિખિત કપાત ઉપલબ્ધ રહેશે

 

  1. કલમ 24(b) - આવાસ લોન અને આવાસ સુધારણા લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર મકાન મિલકતમાંથી થતી આવકમાંથી કપાત. જાતે મેળવેલી મિલકતના કિસ્સામાં, આવાસ લોન પર ચુકવેલ વ્યાજની કપાત માટેની ઉપલી મર્યાદા ₹ 2 લાખ છે. કલમ 24(b) હેઠળ લોન પર મંજૂર કરવા પાત્ર વ્યાજ નીચે આપેલ છે:

સંપત્તિનો પ્રકાર

જ્યારે લોન લેવામાં આવી હતી

લોનનો હેતુ

માન્ય (મહત્તમ મર્યાદા)

જરૂરી વિગતો

પોતાની માલિકી

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 2,00,000

• બેંક પાસેથી/ બેંક સિવાયના અન્ય પાસેથી લેવામાં આવેલી લોન
• બેંક / સંસ્થા / વ્યક્તિનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 24(b) હેઠળ ઉધાર લીધેલી મૂડી પર વ્યાજ

1/04/1999 ના રોજ અથવા પછી

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

₹ 30,000

1/04/1999 પહેલાં

મકાન મિલકતના સમારકામ માટે

₹ 30,000

ભાડે આપેલ

કોઈપણ સમયે

મકાન મિલકતનું બાંધકામ અથવા ખરીદી

કોઈપણ મર્યાદા વિના વાસ્તવિક મૂલ્ય
આકારણી વર્ષ દરમિયાન આવકના અન્ય શીર્ષક સામે સમાયોજિત કરવા માટેનું માન્ય મહત્તમ નુકસાન રૂ.200000 છે અને બાકીની રકમ ભવિષ્યના વર્ષોમાં 8 આકારણી વર્ષ સુધી આગળ લઈ જઈ શકાય છે .

2. આવક વેરા અધિનિયમના પ્રકરણ VIA અંતર્ગત કરવેરાની કપાત

 

કલમ 80C, 80CCC, 80CCD (1)

કરવામાં આવેલી ચુકવણીઓ પર કપાત

80C

  • જીવન વીમા પ્રીમિયમ
  • પ્રોવિડન્ટ ફંડ
  • ચોક્કસ ઇક્વિટી શેરોની સબ્સ્ક્રિપ્શન
  • ટ્યુશન ફી
  • રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર
  • હાઉસિંગ લોન મુદ્દલ
  • અન્ય વિવિધ આઈટમ

 

₹ 1,50,000ની સંયુક્ત કપાત મર્યાદા

દરેક પાત્ર ચુકવણી માટે ITR માં ભરવાની વિગતો

  • પોલિસી નંબર અથવા દસ્તાવેજનો ઓળખ નંબર
  • કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર રકમ

80CCC

પેન્શન યોજના તરફ LIC અથવા અન્ય વીમાદાતાની વાર્ષિકી યોજના

80CCD(1)

કેન્દ્રીય સરકારની પેન્શન યોજના

 

 

કલમ 80CCD(1B)

 

80CCD (1) હેઠળ દાવો કરાયેલ કપાતને બાદ કરતાં, કેન્દ્રીય સરકારની પેન્શન યોજનામાં કરવામાં આવેલી ચુકવણીઓ માટે કપાત.

₹ 50,000ની કપાત મર્યાદા

 
 

નોંધ:
કલમ 80 CCD (1), 80 CCD (1B) હેઠળ કપાતનો દાવો કરતા કરદાતાઓએ નીચે મુજબ વિગતો પ્રદાન કરવી આવશ્યક છે:
• યોગદાનની રકમ
• કરદાતાનો PRAN

કલમ 80CCD(2)

કેન્દ્રીય સરકાર પેન્શન યોજનામાં નિયોક્તા દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે કપાત

જો નિયોક્તા PSU અથવા અન્ય હોય તો

પગારના 10% કપાત મર્યાદા

જો નિયોક્તા કેન્દ્ર અથવા રાજ્ય સરકારનો હોય તો

પગારના 14% કપાત મર્યાદા

 

કલમ 80D

આરોગ્ય વીમા પ્રીમિયમ અને નિવારક આરોગ્ય તપાસ માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે કપાત

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

 

₹ 25,000 (₹ 50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

માતાપિતા માટે

₹ 25,000 (₹50,000 જો કોઈ વ્યક્તિ વરિષ્ઠ નાગરિક હોય તો)

ઉપરોક્ત મર્યાદામાં સમાવિષ્ટ નિવારક આરોગ્ય તપાસ માટે₹ 5,000

 

 

 

 

 

 

 

 

 

આરોગ્ય વીમા યોજનામાં પ્રીમિયમ ચુકવેલ ન હોય તો, વરિષ્ઠ નાગરિક પર કરવામાં આવતા તબીબી ખર્ચ માટે કપાત

 

સ્વ / જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે

₹ 50,000ની કપાત મર્યાદા

માતાપિતા માટે

₹ 50,000ની કપાત મર્યાદા

કૃપા કરીને નોંધ લો:

જો તમે કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:
• વીમાકર્તાનું નામ (વીમા કંપની)
• પોલિસી નંબર
• આરોગ્ય વીમા રકમ

કલમ 80DD

 

 

 

દિવ્યાંગ આશ્રિતોની જાળવણી અથવા તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણીઓ અથવા સંબંધિત માન્ય યોજના હેઠળ કોઈ પણ ચૂકવેલ/જમા કરાવેલ રકમ હેઠળ કપાત

ની ફ્લેટ કપાત
₹ 75,000
ની ચોખ્ખી કપાત ઉપલબ્ધ છે, ખર્ચ કરેલી રકમને ધ્યાનમાં લીધા વગર, વિંકલાંગ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.

કપાત છે
₹ 1,25,000
જો વ્યક્તિને ગંભીર અસમર્થતા હોય (80 % અથવા વધુ).=

 
 

નોંધ:

કલમ 80 હેઠળ કપાતનો દાવો કરવા માટે નીચેની વિગતો ITRમાં પ્રદાન કરવી જરૂરી છે:
• વિકલાંગતાનું સ્વરૂપ
• વિકલાંગતાનો પ્રકાર
• કપાતની રકમ
• આશ્રિતનો પ્રકાર
• આશ્રિતનો PAN
• આશ્રિતનો આધાર
• ઓટીઝમ, મગજનો લકવો, માનસિક વિકલાંગતા કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IA નો સ્વીકૃતિ નંબર.
• UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)

કલમ 80DDB

 

ઉલ્લેખિત રોગ માટે સ્વયંની અથવા આશ્રિતની તબીબી સારવાર માટે કરવામાં આવતી ચુકવણી માટે કપાત.

₹ 40,000 ની કપાત મર્યાદા

(₹ 1,00,000 જો વરિષ્ઠ નાગરિક હોય તો)

 
 

 

કલમ 80E

પોતાના અથવા સંબંધીના ઉચ્ચ શિક્ષણ માટે લોન પર કરવામાં આવેલ વ્યાજની ચુકવણી પર કપાત

લીધેલી લોન પર વ્યાજ માટે ચુકવેલ કુલ રકમ

નોંધ:

કલમ 80E હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે:
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• સંસ્થા / બેંકનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80E હેઠળ વ્યાજ

કૃપા કરીને નોંધ લો કે કલમ 80E હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળ સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ.

કલમ 80EE

રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી માટે કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2016 થી 31મી માર્ચ 2017ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ છે.

કપાત મર્યાદા
₹ 50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:

કલમ 80EE હેઠળ દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EE હેઠળ વ્યાજ

 

કલમ 80EEA

પ્રથમ વખત રહેણાંક મકાન મિલકતના સંપાદન માટે લીધેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019થી 31મી માર્ચ 2022ની વચ્ચે મંજૂર કરવામાં આવી હોય અને કપાતનો દાવો કલમ 80EE હેઠળ કરેલો હોવો જોઈએ નહીં.

 

કપાત મર્યાદા
₹ 1,50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:

કલમ 80EEA હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITRમાં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે
• આવાસીય મકાન મિલકતનું સ્ટેમ્પ મૂલ્ય
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• કલમ 80EEA હેઠળ વ્યાજ

કૃપા કરીને નોંધ લો કે કલમ 80EEA હેઠળ કપાતનો દાવો ફક્ત ત્યારે જ કરી શકાય છે જો કલમ 24(b) હેઠળની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોઈ. ઉપરાંત, કરદાતા લોન મંજૂરીની તારીખ અને અન્ય યોગ્ય શરતોના આધારે 80EE અથવા 80EEA નો દાવો કરી શકે છે.

કલમ 80EEB

ઈલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લેવામાં આવેલી લોન પર કરવામાં આવેલી વ્યાજની ચુકવણી પર કપાત જ્યાં લોન 1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે મંજૂર કરવામાં આવેલ હોય.

કપાત મર્યાદા
₹ 1,50,000
લીધેલી લોન પર ચૂકવેલ વ્યાજ પર

નોંધ:

કલમ 80EEB હેઠળ કપાતનો દાવો કરવા માટે, ITR માં નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે.
• બેંક / સંસ્થા પાસેથી લીધેલી લોન
• બેંક / સંસ્થાનું નામ કે જેની પાસેથી લોન લેવામાં આવેલ છે
• બેંક / સંસ્થાનો લોન ખાતા નંબર.
• લોન મંજૂર થયાની તારીખ
• લોનની કુલ રકમ
• નાણાકીય વર્ષની છેલ્લી તારીખ સુધીમાં બાકી લોન
• વ્યાજની રકમ 80EEB
• વાહન નોંધણી નંબર.

કલમ 80G

નિર્ધારિત ભંડોળ, ધર્માદા સંસ્થાઓ વગેરેને આપવામાં આવેલ દાન પર કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે

કોઈપણ મર્યાદા વિના

100% કપાત

50% કપાત

પાત્રતાની મર્યાદાને આધિન

100% કપાત

50% કપાત

 



 

 

 

 

 

 

નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં

 

કલમ 80GG

ઘર માટે ચુકવેલ ભાડા પર કપાત અને માત્ર સ્વ-રોજગાર ધરાવતા અથવા જેમના માટે HRA પગારનો ભાગ નથી તેમને લાગુ પડે છે.

કપાત તરીકે નિમ્નલિખિત માંથી જે ઓછામાં ઓછું હશે એને મંજૂરી આપવામાં આવશે

આ કપાત પહેલાં ચુકવેલ ભાડુમાં કુલ આવકના 10% જેટલો ઘટાડો થયો છે

દર મહિને ₹ 5,000

કુલ આવકના 25% (લાંબા ગાળાના મૂડી લાભ સિવાય, કલમ 111A હેઠળ ટૂંકા ગાળાના મૂડી લાભ અથવા કલમ 115A અથવા 115D હેઠળ આવક)


નોંધ: કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરવા માટે, આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે ફોર્મ 10 BA ફાઈલ કરવું અને અનુસૂચિ 80 GG માં ફોર્મ 10 BA નો (સ્વીકૃતિ નંબર) દાખલ કરવો ફરજિયાત છે.

 

કલમ 80GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે આપેલ દાન માટે કપાત


દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્ર સરકારે સ્થાપેલું અને જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ફંડ

 

 

નોંધ: ₹ 2000/- થી વધુની રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી લાભ / લાભની આવકનો સમાવેશ થાય છે

 

 

કલમ 80GGC

 

 

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટને આપેલ દાન માટે કપાત

 

રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટને આપેલ દાન માટે કપાત

જો કોઈ યોગદાન રોકડમાં આપવામાં આવે છે તો કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 
 

 

કલમ 80TTB

 

 

નિવાસી વરિષ્ઠ નાગરિકો દ્વારા થાપણો પર પ્રાપ્ત વ્યાજ પર કપાત

કપાત મર્યાદા
₹ 50,000/-

 
 

 

કલમ 80U

 

 

વિંકલાંગતા ધરાવતા નિવાસી વ્યક્તિગત કરદાતા માટે કપાત

 

ખર્ચને ધ્યાનમાં લીધા વિના વિકલાંગ વ્યક્તિ માટે ફ્લેટ ₹ 75,000ની કપાત

કિંમતને ધ્યાનમાં લીધા વિના ગંભીર વિકલાંગ વ્યક્તિ માટે ફ્લેટ ₹1,25,000 ની કપાત (80% કે તેથી વધુ)

 
 

કૃપા કરીને નોંધ લો:

કલમ 80U હેઠળ કપાતનો દાવો કરવા માટે, નીચેની વિગતો પ્રદાન કરવી જરૂરી છે.
• વિકલાંગતાનું સ્વરૂપ
• વિકલાંગતાનો પ્રકાર
• કપાતની રકમ
• ઓટીઝમ, મગજનો લકવો, માનસિક વિકલાંગતા કિસ્સામાં ફાઈલ કરાયેલ ફોર્મ 10IA નો સ્વીકૃતિ નંબર.
• UDID નંબર (જો ઉપલબ્ધ હોય તો)

 

કરદાતાની વયને ધ્યાનમાં લીધા વિના લાગુ કર લાભો ઉપરાંત, વરિષ્ઠ / અતિ વરિષ્ઠ નાગરિક માટે અમુક વધારાના/અતિરિક્ત લાભો છે. અતિરિક્ત લાભો નીચે સુચિબદ્ધ છે:

 

આવકવેરા રિટર્નનું પેપર ફાઈલિંગ

અતિ વરિષ્ઠ નાગરિક (80 વર્ષ કે તેથી વધુ વયના) ઓફલાઈન/પેપર મોડમાં ફોર્મ 1 અથવા 4 નો ઉપયોગ કરીને તેમના ITR ને સબમિટ કરવાનો વિકલ્પ ધરાવે છે. ઈ-ફાઈલિંગ વિકલ્પ પણ તેમને ઉપલબ્ધ રહે છે.

 

અગ્રિમ કરની ચુકવણીથી રાહત

કલમ 208 મુજબ, દરેક વ્યક્તિ કે જેની વર્ષ માટે અંદાજિત કર જવાબદારી ₹ 10,000 અથવા તેથી વધુ છે, તેણે અગ્રિમ કરના રૂપમાં અગાઉથી તેનો કર ચુકવવાનો રહેશે. પરંતુ, કલમ 207 નિવાસી વરિષ્ઠ નાગરિકને અગ્રિમ કરની ચુકવણીથી રાહત આપે છે. આમ, એક નિવાસી વરિષ્ઠ નાગરિક, ધંધા અથવા વ્યવસાયમાંથી કોઈ આવક ન હોવાને કારણે, અગ્રિમ કર ચૂકવવા માટે જવાબદાર નથી. તેથી, 234B અને 234C એ ITR 1 અને ITR 2 ફાઈલ કરતા વરિષ્ઠ અને અતિ વરિષ્ઠ નાગરિક માટે લાગુ પડતા નથી.

 

બેંક થાપણોના વ્યાજ પર આવક વેરા કપાત

આવકવેરા અધિનિયમની કલમ 80TTB બેંક, પોસ્ટ ઓફિસ અથવા સહકારી બેંકમાં થાપણોમાંથી મેળવેલા વ્યાજ પર કરલાભને મંજૂરી આપે છે. વરિષ્ઠ નાગરિક દ્વારા મેળવાયેલા રૂ. 50,000 સુધીના મહત્તમ વ્યાજની આવક માટે કપાતની મંજૂરી છે. બચત થાપણો અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ બંને પર કમાયેલું વ્યાજ આ જોગવાઈ અંતર્ગત કપાત માટે પાત્ર છે.

ઉપરાંત આવકવેરા અધિનિયમની કલમ 194A હેઠળ બેંક, પોસ્ટ ઓફિસ કે સહકારી બેંક દ્વારા વરિષ્ઠ નાગરિકને ₹50,000 સુધીના વ્યાજની ચુકવણી પર સ્રોત પર કર કપાત (TDS) કરવામાં આવતો નથી. આ મર્યાદાની ગણતરી દરેક બેંક માટે વ્યક્તિગત રીતે કરવામાં આવે છે.

 

તબીબી વીમા અને ખર્ચના સંદર્ભમાં કર લાભો

આવકવેરા અધિનિયમની કલમ 80D મુજબ વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા પોલિસી માટે પ્રીમિયમની ચુકવણી માટે ₹ 50,000 સુધીની વધુ કપાતનો લાભ મેળવી શકે છે. બિન-વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં મર્યાદા રૂ. 25,000 છે.

વધુમાં આવકવેરા અધિનિયમની કલમ 80DDB અધિનિયમમાં જણાવ્યા મુજબ ચોક્કસ રોગોની સારવાર માટે કોઈ વ્યક્તિ દ્વારા પોતાના પર અથવા આશ્રિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર કર કપાતની મંજૂરી આપે છે. વરિષ્ઠ નાગરિકના કિસ્સામાં મહત્તમ કપાતની રકમ છે રૂ. 1 લાખ (બિન-વરિષ્ઠ નાગરિક કરદાતાઓ માટે ₹ 40,000 છે).

 

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: