Do not have an account?
Already have an account?

 

આકારણી વર્ષ 2025-26 માટે સ્થાનિક સત્તાધિકારી માટે લાગુ પડતા રિટર્ન અને ફોર્મ

 

સ્પષ્ટીકરણ: આ પેજ પરનો કન્ટેન્ટ ફક્ત ઓવરવ્યૂ અને સામાન્ય માર્ગદર્શન આપવા માટે છે અને સંપૂર્ણ નથી. સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા માટે, કૃપા કરીને આવક વેરા અધિનિયમ, નિયમો અને સૂચનાઓનો સંદર્ભ લો.

 

કલમ 2(31) મુજબ આવકવેરાના કાયદાના હેતુ માટે વ્યક્તિમાં અન્ય બાબતોની સાથે સ્થાનિક સત્તામંડળનો સમાવેશ થાય છે.

કલમ 10(20) ના હેતુ માટે, જે અમુક શરતોને આધિન સ્થાનિક સત્તાધિકારીની આવક હેઠળ છૂટ માટેની જોગવાઈ કરે છે, સ્થાનિક સત્તાધિકારી અભિવ્યક્તિનો અર્થ થાય -
(i) બંધારણના અનુચ્છેદ 243ની કલમ (d)માં જણાવ્યા મુજબની પંચાયત; અથવા
(ii) બંધારણના અનુચ્છેદ 243P ની કલમ (e)માં જણાવ્યા મુજબની નગરપાલિકા; અથવા
(iii) મ્યુનિસિપલ અથવા સ્થાનિક ફંડના નિયંત્રણ, અથવા સંચાલનના કાયદેસર હકદાર, અથવા સરકારે સત્તા, આપેલ હોય તે મ્યુનિસિપલ સમિતિ અથવા જિલ્લા બોર્ડ; અથવા (iv) કન્ટોનમેન્ટ અધિનિયમ, 1924 (1924ના 2 જા)ની કલમ 3માં વ્યાખ્યાયિત કરેલ કન્ટોનમેન્ટ બોર્ડ;

 

1. ITR-5

આ ફોર્મનો ઉપયોગ એ વ્યક્તિ દ્વારા કરી શકાય છેઃ

  1. પેઢી
  2. મર્યાદિત જવાબદારી ભાગીદારી ( LLP )
  3. વ્યક્તિઓનું સંગઠન ( AOP )
  4. વ્યક્તિઓની સંસ્થા (BOI)
  5. કલમ 2(31))ના અનુચ્છેદ (vii) માં ઉલ્લેખિત કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP)
  6. કલમ 2(31) ના અનુચ્છેદ (vi) માં ઉલ્લેખિત સ્થાનિક સત્તાધિકારી
  7. કલમ 160(1) (iii) અથવા (iv) માં ઉલ્લેખિત પ્રતિનિધિ કરદાતા
  8. સહકારી મંડળી
  9. સંસ્થા નોંધણી અધિનિયમ, 1860 હેઠળ અથવા કોઈપણ રાજ્યના અન્ય કોઈપણ કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા,
  10. ફોર્મ ITR-7 ફાઈલ કરવા માટે પાત્ર ટ્રસ્ટ સિવાય અન્ય ટ્રસ્ટ
  11. મૃત વ્યક્તિની સંપદા
  12. નાદારની સંપદા
  13. કલમ 139(4E) માં ઉલ્લેખિત વ્યાપાર ટ્રસ્ટ
  14. કલમ 139(4F) માં ઉલ્લેખિત રોકાણ ભંડોળ

 

નોંધ: જો કે, જે વ્યક્તિએ કલમ 139(4A) અથવા 139(4B) અથવા 139(4D) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે તે આ ફોર્મનો ઉપયોગ કરશે નહીં.

 

2. ITR-7

કલમ 139 (4A) અથવા કલમ 139 (4B) અથવા કલમ 139 (4C) અથવા કલમ 139 (4D) હેઠળ રિટર્ન રજૂ કરવાની જરૂર હોય તેવી કંપનીઓ સહિત વ્યક્તિઓ માટે લાગુ

139(4A) –
ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ સંપૂર્ણપણે /આંશિક રીતે ચેરિટેબલ અથવા ધર્માદા હેતુઓ માટે રાખવામાં આવેલ મિલકતમાંથી પ્રાપ્ત થતી આવક

139(4B) –
દરેક રાજકીય પક્ષના મુખ્ય કારોબારી અધિકારી

139(4C) –
કલમ 10 માં ઉલ્લેખિત સંશોધન સંગઠન, ન્યૂઝ એજન્સી, વગેરે જેવી વિવિધ સંસ્થાઓ.

139(4D) - વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા જે કલમ 35 માં સંદર્ભિત છે

 

 

નોંધ: વ્યક્તિઓની એવી શ્રેણી કે જેની આવકને વિવિધ અનુચ્છેદની કલમ 10 હેઠળ બિનશરતી છૂટ પ્રાપ્ત થયેલ છે, અને જેઓને કલમ 139ની જોગવાઈઓ હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવું જરૂરી નથી, તેઓ આ ફોર્મનો ઉપયોગ રિટર્ન ફાઈલ કરવા માટે કરી શકે છે (દાખલા તરીકે - સ્થાનિક સત્તામંડળ)

 

લાગુ ફોર્મ

1.

ફોર્મ 26 AS

AIS (વાર્ષિક માહિતી નિવેદન)

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છેઃ

લોગઈન કરો > ઈ-ફાઈલ > આવકવેરા રિટર્ન > ફોર્મ 26AS જુઓ)

ફોર્મમાં આપેલી વિગતો:

સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર

દ્વારા આપવામાં આવેલ:

આવકવેરા વિભાગ (આવકવેરાના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી તેને મેળવી શકાય છે)

ઈ-ફાઈલિંગ પોર્ટલ > લોગઈન > AIS પર જાઓ

ફોર્મમાં આપેલી વિગતો:

  • સ્ત્રોત પર કપાત / એકત્રિત કરેલ કર
  • SFT માહિતી
  • કર ચુકવણી
  • માંગણી / રિફંડ

અન્ય માહિતી (જેમ કે બાકી /પૂર્ણ થયેલી કાર્યવાહી, GST ની માહિતી, વિદેશી સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી વગેરે)

 

નોંધ: (અગ્રિમ કર/SAT, રિફંડની વિગતો, SFT લેવડ-દેવડ, કલમ 194IA ,194IB ,194M હેઠળ TDS, TDS ડિફોલ્ટ) સંબંધિત માહિતી જે 26ASમાં ઉપલબ્ધ હતી, તે માહિતી હવે AISમાં ઉપલબ્ધ થશે.

 

2. ફોર્મ 3CA-3CD

દ્વારા રજૂ કરાયેલ:

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા કે જેમણે કલમ 44AB હેઠળ એકાઉન્ટન્ટ દ્વારા તેમના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના એક મહિના પહેલાં રજૂ કરવાનું રહેશે.

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

3. ફોર્મ 3CB -3CD

દ્વારા રજૂ કરાયેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કરદાતા જેમને કલમ 44AB હેઠળ હિસાબનીશ દ્વારા તેના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે. કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિયત તારીખના ઓછામાં ઓછા એક મહિના પહેલા રજૂ કરવું જોઈએ

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 44AB હેઠળ હિસાબોના ઓડિટનો અહેવાલ અને વિગતોનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.

 

4. ફોર્મ 16A - પગાર સિવાયની આવક પર TDS માટે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 203 હેઠળનું પ્રમાણપત્ર

દ્વારા આપવામાં આવેલ

ફોર્મમાં આપેલી વિગતો:

કર કપાત કરનાર દ્વારા કર કપાત રકમ મેળવનાર ને

ફોર્મ 16A એ ત્રિમાસિક ધોરણે જારી કરવામાં આવેલ સ્રોત પર કર કપાત (TDS) પ્રમાણપત્ર છે, જેમાં TDS ની રકમ, ચુકવણીનો પ્રકાર અને આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવેલા TDS ની રકમનો સમાવેશ થાય છે.

 

આકારણી વર્ષ 2025-26 માટે સ્થાનિક સત્તાધિકારી માટે કર સ્લેબ

આકારણી વર્ષ 2025-26 માટે, સ્થાનિક સત્તાધિકારી 30%ના દરે કરપાત્ર છે.

 

 

અધિક કર, સીમાંત રાહત અને આરોગ્ય અને શિક્ષણ ઉપકર

 

અધિક કર એટલે શું?

જો કુલ આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો આવકવેરાની રકમ પર નીચેના દરે અધિક કર વસૂલવામાં આવશે:

  • જો કરપાત્ર આવક ₹ 1 કરોડથી વધુ હોય તો 12%ના દરે

સીમાંત રાહત શું છે?

અધિક કરમાંથી સીમાંત રાહત નિમ્નલિખિત રીતે ઉપલબ્ધ છે:

  • જો ચોખ્ખી આવક ₹ 1 કરોડથી વધુ હોઈ, તો આવકવેરા અને અધિક કર તરીકે ચુકવવાપાત્ર રકમ ₹ 1 કરોડની કુલ આવક પર આવક વેરા તરીકે ચુકવવાપાત્ર કુલ રકમ ₹ 1 કરોડ કરતાં વધુની આવક પર ચુકવવામાં આવતી કુલ રકમથી વધુ ન હોવી જોઈએ

આરોગ્ય અને શિક્ષણ ઉપકર શું છે?

આરોગ્ય અને શિક્ષણ ઉપકર - 4% ના દરે આવકવેરાની રકમ અને અધિક કર (જો કોઈ હોય તો) પર પણ ચુકવવામાં આવશે.

 

કલમ 10(20) હેઠળ છૂટ / આવક જે કુલ આવકમાં શામેલ નથી:
ગૃહમિલકતમાંથી આવક, મૂડીગત નફો અથવા અન્ય સ્ત્રોતો અથવા તેના દ્રારા ચલાવાતા વેપાર અથવા ધંધામાંથી આવક જે તેના પોતાના અધિકારક્ષેત્રની અંદર માલ અથવા સેવા (પાણી અથવા વીજળી ન હોય) પૂરી પાડવાથી વધે અથવા ઊભી થાય અથવા તેના પોતાના અધિકારક્ષેત્રની અંદર અથવા બહાર પાણી અથવા વીજળી પૂરી પાડવી એ શીર્ષક હેઠળ વસૂલાતપાત્ર સ્થાનિક સત્તામંડળની આવક.

 

રોકાણ / ચુકવણી / આવક કે જેના પર હું કર લાભ મેળવી શકું છું

 

આવક વેરા અધિનિયમના પ્રકરણ VI-A અંતર્ગત ઉલ્લેખિત કરની કપાત

કલમ 80G

ચોક્કસ ભંડોળ, ધર્માદા સંસ્થાઓ, વગેરે માટે કરવામાં આવેલા દાન માટે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

પાત્રતાની મર્યાદાને આધિન

 

કરવામાં આવેલ દાનના 100%

કરવામાં આવેલ દાનના 50%

કોઈપણ મર્યાદા વિના

 

કરવામાં આવેલ દાનના 100%

કરવામાં આવેલ દાનના 50%

 

નોંધ: ₹ 2000/- થી વધુની રોકડ રકમમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં આ કલમ હેઠળ કોઈ કપાતની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

કલમ 8GGA

વૈજ્ઞાનિક સંશોધન અથવા ગ્રામીણ વિકાસ માટે કરાયેલ દાન પ્રત્યે કપાત.

દાન નીચેની શ્રેણીઓ અંતર્ગત કપાત માટે પાત્ર છે:

સંશોધન સંગઠન અથવા વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય અથવા અન્ય સંસ્થા માટે:

  • વૈજ્ઞાનિક સંશોધન
  • સામાજિક વિજ્ઞાન અથવા આંકડાકીય સંશોધન

સંગઠન અથવા સંસ્થા માટે

  • ગ્રામીણ વિકાસ
  • કુદરતી સંસાધનોનું સંરક્ષણ અથવા વનીકરણ માટે

કોઈપણ લાયક પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાષ્ટ્રીય સમિતિ દ્વારા મંજૂર કરાયેલ જાહેર સાહસો અથવા સ્થાનિક સત્તાધિકારી અથવા સંગઠન અથવા સંસ્થા

કેન્દ્રીય સરકાર દ્વારા સૂચિત ભંડોળ માટે:

  • વનીકરણ
  • ગ્રામીણ વિકાસ

કેન્દ્ર સરકારે સ્થાપેલું અને જાહેર કર્યા મુજબ રાષ્ટ્રીય શહેરી ગરીબી નાબૂદી ફંડ

 

નોંધ: ₹ 2000/ - થી વધુના રોકડમાં કરવામાં આવેલા દાનના સંદર્ભમાં અથવા જો કુલ આવકમાં વ્યાપાર / વ્યવસાયમાંથી નફા / લાભની આવકનો સમાવેશ થતો હોય તો કોઈ કપાતને મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

કલમ 80JJA

જૈવવિઘટનીય કચરાનું એકત્રીકરણ અને પ્રક્રિયાના વ્યાપારમાંથી નફો અને લાભના સંદર્ભમાં કપાત (અમુક શરતોને આધિન)

5 આકારણી વર્ષ માટે નફાના 100%, જ્યાં કરદાતાની કુલ આવકમાં બાયોડિગ્રેડેબલ કચરાના સંગ્રહ અને પ્રક્રિયા અથવા શુદ્ધિકરણના વ્યાપારમાંથી મેળવેલા કોઈપણ નફા અને લાભનો સમાવેશ થાય છે

 

કલમ 80JJAA

નવા કામદારો/કર્મચારીઓની રોજગારીના સંદર્ભમાં કપાત, જે કલમ 44AB લાગુ પડે છે તે કરદાતાને લાગુ પડે છે (અમુક શરતોને આધિન)

 

3 આકારણી વર્ષ માટે અતિરિક્ત કર્મચારી ખર્ચના 30%, અમુક શરતોને આધિન

 

 

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: