Do not have an account?
Already have an account?

આવકવેરા કેલ્ક્યુલેટર - વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નોંધણી કરેલ ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓ માટે આવક અને કર કેલ્ક્યુલેટર સેવા કેવી રીતે ફાયદાકારક છે?
આવક અને કર કેલ્ક્યુલેટર સેવા નોંધણી કરેલ અને નોંધણી વગરના ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓને નીચેના કાર્યો કરવા માટે સક્ષમ કરે છે:

  • ઈ-ફાઇલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા વિના ઝડપી અને સરળ રીતે મૂળભૂત અને/અથવા અદ્યતન કેલ્ક્યુલેટર સાથે તેમની કર ગણતરી કરવા માટેના એક્સેસ મેળવી શકે છે.
  • નાણાકીય બજેટ 2020 માં રજૂ કરેલ જૂની કર પ્રણાલી અને નવી કર પ્રણાલી અનુસાર તેમના કરની સરખામણી કરી શકે છે.

2. વર્તમાન આવક અને કર કેલ્ક્યુલેટર સેવા જૂના ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના પાછલા સંસ્કરણથી કેવી રીતે અલગ છે?
આવક અને કર કેલ્ક્યુલેટર સેવા હવે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર એક ઝડપી લિંક છે.
તમે નવી કર પ્રણાલી અને જૂની કર પ્રણાલી મુજબ કરનો અનુમાન લગાવી શકો છો અને પરિણામોની સરખામણી કરી શકો છો.

3. શું હું આવક અને કર કેલ્ક્યુલેટર દ્વારા ગણતરીને ચોક્કસ માની શકું છું અને મારું રિટર્ન ફાઈલ કરતી વખતે તેનો ઉપયોગ કરી શકું?
ના. આવક અને કર કેલ્ક્યુલેટર તમને તમારા મૂળભૂત કરની ગણતરીનું ઝડપી વિવરણ આપે છે અને જરૂરી નથી કે તે તમામ સંજોગોમાં તમારા પરિણામી કરની ગણતરી આપે. રિટર્ન ફાઈલ કરવા માટે, લાગુ અધિનિયમો અને નિયમોમાં સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર ચોક્કસ ગણતરીઓ કરી શકાય છે.